દેશમાં 50 IRS અધિકારીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સજેશન મોકલીને જણાવ્યું છે કે કોવિડ-19ની અસરને ધ્યાનમાં રાખી દેશની હયાત અર્થવ્યવસ્થાને કેવી રીતે ફરી જીવંત કરી શકાય તે માટે પીએમને સજેશન આપ્યા છે. જેમાં તેમણે ધનિક લોકો પાસેથી કોવિડ ટેક્સના નામ પર 40 ટકા સુધી ટેક્સ વસૂલવાનું સજેશન આપ્યું છે.
કોરોનાથી થનારા નુકસાનની કેવી રીતે ભરપાઈ કરવામાં આવશે
ટેક્સ લગાવવાને લઈને IRSના અધિકારીઓએ આપી સજેશન
ફિઓએ કહ્યુ લોકડાઉનના લીધે બેરોજગારી વધશે
IRS અધિકારીઓ તરફથી પીએમને મોકલવામાં આવેલા સજેશનમાં કહેવામાં આવ્યું છે કે જે લોકો એક વર્ષમાં 1 કરોડથી વધારે કમાય છે. તેમની પાસે ટેક્સ રેટ 40 ટકા વધારી શકાય છે. કેટલાક અન્ય સજેશન પણ આપવામાં આવ્યા છે. જેમાં વેલ્થ ટેક્સ ફરી શરુ કરવો, 10 લાખ રુપિયાથી વધારે ટેક્સ યોગ્ય કમાણી પર 4 ટકા કોવિડ-19 સરચાર્જ, ગરીબોના ખાતામાં એક મહિનામાં 5 હજાર ડાયરેક્ટ કેસ ટ્રાન્સફર અને હેલ્થકેર સેક્ટરમાં કોર્પોરેટ તથા બિઝનેસ માટે 3 વર્ષના ટેક્સ ર્હોલિડેની જાહેરાતનો પણ સમાવેશ કરવામાં આવે છે . 50 IRS અધિકારીઓના આ સમૂહનું માનવું છે કે આનાથી લોકડાઉનને આર્થિક નુકસાનની ભરપાઈ કરી શકાય છે .
બીજી તરફ નિકાસકારોના સંગઠન ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશન (FIEO)ને સરકારને નિકાસ વિશે એલર્ટ કર્યુ છે .જેમાં કહેવામાં આવ્યું છે કે લોકડાઉન લાંબા સમય સુધી ચાલ્યુ હોવાથી નિકાસમાં સમસ્યા આવી રહી છે. મોટા પ્રમાણમાં રોજગારી જવાની આશંકા વધી જશે. ફિઓના અધ્યક્ષે શરદ કુમાર સરાફે કહ્યું કે બાંગ્લાદેશ. દુબઈ અને બ્રિટન જેવા અનેક દેશોએ લોકડાઉન સમાપ્ત કરવા માટે હવે સમાધાન તથા દિશા -નિર્દેશ તૈયાર કરી દીધા છે.