હોલિસ્ટિક લાઈફસ્ટાઈલ એન્ડ વેલનેસ કોચ લ્યુક કોટિન્હોએ જણાવ્યા અનુસાર હેલ્દી વસ્તુઓ આપણા અંદરના અંગોને રિપેર અને ડીએનએ હેલ્થને મેન્ટેન કરે છે.
જરૂરી પોષક તત્વો પુરા પાડશે આ સુપરફૂડ્સ
દરરોજ ખાવાની પાડો આદત
જાણો અન્ય ફાયદાઓ વિશે
હેલ્દી વસ્તુઓ તમારા શરીરને જરૂરી દરેક પોષક તત્વો આપે છે. તે ડેમેજ થયેલા ડિએનએને પણ રિપેર કરી શકે છે. અંગોની કાર્ય ક્ષમતાને તંદુરસ્ત કરે છે. તણાવ ઓછો કરે છે અને બ્રેન ફંક્શનને સારૂ બનાવે છે. હોલિસ્ટિક લાઈફસ્ટાઈલ એન્ડ વેલનેસ કોચ લ્યુક કોટિન્હોના જણાવ્યા અનુસાર, હેલ્દી વસ્તુઓ આપણા અંદરના અંગોને રિપેર અને ડીએનએ હેલ્થને મેન્ટેન કરીને આપણને ક્રોનિક અને જેનેટિક ડિસીઝથી બચાવે છે. આ ઈન્ફ્લેમેશનના જોખમને ઓછું કરે છે અને ઓવરઓલ હેલ્થને સપોર્ટ કરવા માટે ઈમ્યુનિટીને સુધારે છે.
દાડમ
દાડમના ગુણકારી તત્વોના કારણે તેને એક ખૂબ જ હેલ્દી ફૂડ માનવામાં આવે છે. લાલ રંગના આ ફળને વિટામિન-સી, આયર્ન, ઓમેગા-3 ફેટી એસિડ, ફોલેટ, પોટેશિયમ અને વિટામિન-કેનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. દાડમ હાર્ટની બિમારી, કેન્સર, આર્થરાઈટિસ અથવા કોઈ ઈન્ફ્લેમેટરી કંડીશનના જોખમને ઓછુ કરે છે. તેનાથી એન્ટી-એજીંગ પ્રોપર્ટીઝ આપણી સ્કિન ક્વોલિટીને સારી બનાવીને એજીંગની સમસ્યાથી પણ બચાવે છે.
નારિયેળનું તેલ
નારિયેળના તેલનો ભલે તમે ભોજનમાં ઉપયોગ ન કરો. તેનો ઉપરથી ઉપયોગ કરવામાં આવે. તે દર વખતે તમારા સ્વાસ્થ્યને ફાયદો પહોંચાડે છે. નારિયેળના તેલમાં હાજર એન્ટીમાઈક્રોબિયલ અને એન્ટીઓક્સીડેન્ટ પ્રોપર્ટીઝ આપણી સ્કીન ક્વોલિટી અને ઓરલ હેલ્થને ફાયદો પહોંચાડે છે. સાથે જ તમે ન ફક્ત બીમારીથી દૂર રહો છો. પરંતુ વજન પણ કંટ્રોલમાં રહે છે. નારિયેળનું ઓઈલ એનર્જીનો પણ સારો સ્ત્રોત માનવામાં આવે છે જે લાંબા સમય સુધી તમારી ભૂખને શાંત કરે છે.
મશરૂમ
લાંબા અને ફાયદાકારક જીવન માટે મશરૂમને સારૂ શાકભાજી માનવામાં આવે છે. મશરૂમની ઓછી કેલેરી, ફાઈબર અને પ્રોટીનની ભરપૂર માત્રા, વિટામિન-ડી, આયર્ન, સેલેનિયમ અને એન્ટીઓક્સીડેન્ટ્સ ખૂબ જ ફાયદાકારક હોય છે. તેના ગુણકારી તત્વો આપણને અલ્ધાઈમર, હાર્ટ ડિસીઝ, કેન્સર અને ડાયાબિટીઝ જેવી ભયંકર બીમારીઓથી બચાવે છે.
હળદર
ભારતમાં હળદરનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં કરવામાં આવે છે. હળદરમાં કરક્યુમિન નામનું એક એક્ટિવ કમ્પાઉન્ડમાં એન્ટી-ઈન્ફ્લેમેટરી અને એન્ટીઓક્સીડેન્ટ પ્રોપર્ટીઝ હોય છે. આ સ્કિન, હૃદય, સાંધાના દુઃખાવા અને અન્ય ઘણા પ્રકારના અંગો સાથે જોડાયેલી બીમારીઓમાં ફાયદાકારક માનવામાં આવે છે. ડોક્ટર્સ કહે છે કે હળદર કેન્સર, અલ્ધાઈમર, ડિપ્રેશન અને આર્થરાઈટિસ જેવી બીમારીઓમાં પણ ફાયદો પહોંચાડે છે. તમે કોઈ ડાયટ અથવા રાતે દૂધની સાથે તેને લઈ શકો છો.
ગ્રીન ટી
ગ્રીન ટી ફક્ત એક રિફ્રેશિંગ અને હાઈડ્રેટિંગ બેવરેજ નથી. પોલિફેનોલ્સથી ભરપુર આ ડ્રિંક ઈનફ્લેમેશન અને કેન્સર જેવી બિમારીઓથી લડવામાં પણ મદદ કરે છે. ગ્રીન ટી મેટાબોલિઝ્મ વધારીને ફેટ ઘટાડવાનું કામ કરે છે. આ રેડિકલ ડેમેજથી કોશિકાઓને બચાવવાનું કામ કરે છે.