પાંચ મહિનાની બાળકી તીરા કામતનો જીવ હવે બચી જશે. SMA type 1 બીમારી સામે જજુમી રહેલી તીરાની સારવાર અમેરિકાનાં Zolgensma ઈન્જેક્શનથીજ શક્ય છે. જે આશરે 16 કરોડ રુપિયાનું છે અને તેનાં પર 6 કરોડનું ટેક્સ અલગથી લાગે છે અને જેનાં કારણે તે ઈન્જેક્શન 22 કરોડનું થઈ જાય છે.
16 કરોડનાં ઈન્જેક્શન પર 6 કરોડનો ટેક્સ
ક્રાઉડ ફંડિંગથી ભેગા કર્યા 16 કરોડ
પીએમ મોદીએ 6 કરોડનો ટેક્સ માફ કર્યો
ઈન્જેક્શન વગર બાળકી 13 મહિના જ જીવી શકતી
પાંચ મહિનાની બાળકીનો જીવ બચાવવા માટે ભારત સરકારે મદદ કરવાનો નિર્ણય કર્યો છે. જેનાં માટે મહારાષ્ટ્રનાં પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પીએમ મોદીને એક ચીઠ્ઠી લખી હતી. જે ચીઠ્ઠીમાં બાળકીની સારવાર માટે આવી રહેલા ઈન્જેક્શન પર લાગતા ટેક્સને માફ કરવાની અરજી કરવામાં આવી હતી. જો ઈન્જેક્શન ના લાગે તો બાળકી મુશ્કેલીથી 13 મહીના જીવી શકતી.
ફડણવીસે પીએમને ચીઠ્ઠી લખી
દેવેન્દ્ર ફડણવીસ દ્વારા પીએમ મોદીને લખવામાં આવેલ ચીઠ્ઠીને પીએમ મોદીએ માન્યતા આપી દીધી અને ઈન્જેક્શન પર લાગતા ટેક્સને માફ કરી દીધો. આ પાંચ મહિનાની બાળકીને 13 જાન્યુઆરીનાં રોજ મુંબઈની એક ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જેનાં ફેફસા કામ કરતા બંધ થઈ ગયા હતા ત્યારબાદ તેને વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી.
Dev_Fadnavis: Sincere gratitude to Hon PM @narendramodi ji for your humanitarian and extremely sensitive approach towards exempting all the taxes (approx ₹6.5 crore) for importing the life saving drug for Mumbai’s 5 month old Teera Kamat!
I wish Teer… pic.twitter.com/1IQ3JLjwL8
ક્રાઉડ ફંડિંગ શરુ કર્યું
બાળકીની સારવાર માટેનું આટલુ મોંઘુ ઈન્જેક્શન એક સામાન્ય વ્યક્તિ માટે ખરીદવુ અશક્ય બરાબર છે. બાળકીન પિતા મિહિર એક આઈટી કંપનીમાં નોકરી કરે છે અને તેની માતા એક ફ્રિલાન્સ જોબ કરે છે. જેથી 16 કરોડ જેટલી મોટી રકમ તેમની પાસે હોવી અશક્ય હતી. જેથી તેમણે સોશિયલ મીડિયા પર એક પેજ બનાવ્યુ અને ક્રાઉડ ફંડિંગ શરુ કર્યું. જ્યાં તેમને સારો રિસ્પોન્સ મળ્યો અને હવે તેમણે 16 કરોડની રકમ એકત્ર કરી લીધી છે. હવે તેઓ જલ્દીથી તે ઈન્જેક્શન ખરીદી શકશે.
ટાઈપ 1 ખૂબ ગંભીર
સ્પાઇનલ મસ્ક્યુલરી અટ્રોફી બીમારીને લીધે શરીરમાં પ્રોટીન બનાવતી માંસપેશિઓ અને નસ ખતમ થવા લાગે છે. મગજનાં કોશોની એક્ટિવિટી પણ ઓછી થઈ જાય છે. મસ્તિષ્કથી બધા કાશો સંચાલિત થતા હોય છે માટે શ્વાસ લેવા અને ખાવામાં પણ મુશ્કેલી થાય છે. આ બીમારી ઘણાં પ્રકારની હોય છે પણ તેમાં ટાઈપ 1 ખૂબ ગંભીર છે.
માતાનાં દૂધથી શ્વાસ રુંધાતો હતો
તીરાનો જન્મ હોસ્પિટલમાં થયો અને જ્યારે તેને ઘરે લઈ જવામાં આવી ત્યારે તે સ્વસ્થ હતી પણ થોડા સમયમાં સ્થિતિ બદલાઈ ગઈ. માતાનું દૂધ પીતી વખતે તેનો શ્વાસ રુંધાતો હતો અને શરીરમાં પાણીની ઉણપ થવા લાગી. એક વખત તેનાં શ્વાસ રોકાઈ ગયા હતા. પોલીયોની રસી પીવડાવતા પણ એકવાર તેનાં શ્વાસ રોકાઈ ગયા હતા. જ્યારે ન્યૂરોલોજિસ્ટની સલાહ લીધી ત્યારે તીરાની બીમારી અંગે જાણ થઈ.