રાજસ્થાનના જયપુરમાં 11 વર્ષ અગાઉ થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ મામલે વિશેષ કોર્ટે ચાર આરોપીને દોષીત કરાર કર્યા છે. ઉલ્લેખનીય છે કે 13 મે 2008ના રોજ જયપુરમાં આઠ જગ્યાઓ પર થયેલા સિરીયલ બ્લાસ્ટમાં 71 લોકોએ જીવ ગુમાવ્યાં હતા.
2008 જયપુર બ્લાસ્ટ કેસમાં ચુકાદો
પાંચ આરોપીઓને કોર્ટે કર્યા દોષીત કરાર
વિશેષ કોર્ટે જે આરોપીને દોષી ગણ્યા છે તેના નામ શાહબાઝ હુસેન, મોહમ્મદ સેફ, મોહમ્મદ સરવર આજમી, સેફુર્રહેમાન ઉર્ફે સલમાન છે. ઉલ્લેખનીય છે કે વિશેષ કોર્ટના ન્યાયાધીશ અજય કુમાર શર્માએ આ મામલે રાજ્ય સરકાર સહિત અન્ય પક્ષકારોની સુનાવણી બાદ આ મામલે નિર્ણય આપવાનું વિચાર્યું હતું.
જો કે જયુપર સિરિયલ બ્લાસ્ટમાં અન્ય ચાર આરોપી શાદાબ, આરિજ, મોહમ્મદ ખાલિદ તેમજ સાજિદને પોલીસ હજુ સુધી પકડી શકી નથી. જો કે આ ચાર ફરાર આરોપીઓમાંથી મોહમ્મદ આરિજ ઉર્ફે જુનૈદની દિલ્હી પોલીસે ઉત્તર પ્રદેશના આજમગઢમાંથી ધરપકડ કરી હતી. પરંતુ રાજસ્થાન એટીએસે અત્યાર સુધી આ આરોપીની દિલ્હી પોલીસ પાસેથી રિમાન્ડની માગણી કરી લીધી નથી.
2008 Jaipur bomb blasts case: Four accused convicted under different sections, including Unlawful Activities (Prevention) Act; one other accused acquitted. pic.twitter.com/pf2rovo4qY