રાયગઢ જિલ્લાના મહાડ તાલુકાના તાલિએ ગામમાં 120 લોકોની વસ્તીમાંથી 49 ના મોત તો 47 લોકો ગુમ થયા છે.
આ ગામમાં 120 લોકોની વસ્તીમાંથી 49ના મોત તો 47 ગુમ થયા
100 ફીટની ઉંચાઈથી પત્થર સીધા ગામમાં પડતા જોવા મળ્યા
કોઈ ચેતવણી આપવામાં આવી નહોંતી
આ ગામમાં 120 લોકોની વસ્તીમાંથી 49ના મોત તો 47 ગુમ થયા
મહારાષ્ટ્રમાં ગત અનેક દિવસોથી ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે અને અનેક વિસ્તારોમાં પુરાના કારણે સ્થિતિ બહું ખરાબ છે. ભૂસ્ખલનના કારણે અત્યાર સુધીમાં 136 લોકોના મોત થયા છે. વરસાદના કારણે ભારે નુકસાન થયું છે. રાયગઢ જિલ્લાના મહાડ તાલુકાના તાલિએ ગામમાં જોવા મળ્યું છે. આ ગામની કુલ વસ્તી 120 લોકોની હતી. જેમાંથી અત્યાર સુધીમાં 49 લોકોના મોત થયા છે અને 47 લોકો ગુમ થયા છે 12 લોકો હજું ઘાયલ હોવાનું મનાઈ રહ્યું છે.
100 ફીટની ઉંચાઈથી પત્થર સીધા ગામમાં પડતા જોવા મળ્યા
રાયગઢના તાલિયામાં ભૂસ્ખલનની આ ઘટના ગુરુવારે સાંજે બની હતી. ગામના લોકોનું કહેવું છે કે સરકાર અને પ્રશાસન તરફથી અમને કોઈ પણ પ્રકારનુ એલર્ટ આપવામાં આવ્યું. 100 ફીટની ઉંચાઈથી પત્થર સીધા ગામમાં પડતા જોવા મળી રહ્યા હતા. બધુ જ ખતમ થઈ ગયું. ગ્રામીણે જણાવ્યું કે ઘટનાના સમયે ગામમાં 120 લોકો હતા. પરંતુ બધુ ખતમ થઈ ચૂક્યું છે.
કોઈ ચેતવણી આપવામાં આવી નહોંતી
ગ્રામીણોએ જણાવ્યું કે વરસાદના સમયે સ્થાનિક પ્રશાસને તેમને સુરક્ષિત સ્થાન પર પહોંચાડ્યા હતા. પરંતુ વરસાદ રોકાયા બાદ લોકો પાછા પોતાના ગામ આવી ગયા હતા. તેમને કોઈ ચેતવણી આપવામાં આવી નહોંતી. રાયગઢમાં તાલિએ ગામની જેમ સતારા,રત્નાગિરીમાં પુરના કારણે અનેક લોકોના મોત થયા છે.
રાયગઢ, કોકણ,સાતારામાં 2 દિવસનું એલર્ટ જારી કરવામાં આવ્યું
વરસાદ અને પુરને જોતા રાયગઢ, કોંકણ અને સાતારામાં આવનારા કેટલાક દિવસો માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે. મૌસમ વિભાગની ચેતવણી જારી કરી છે કે આવનારા 2 દિવસ સુધી વિસ્તારમાં ભારે વરસાદ થશે. કોલ્હાપુર, રત્નાગિરી અને સિંધુદુર્ગ અને ઓરેન્જ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે કોલ્હાપુરની પંચગંગા, રત્નાગિરીની કાજલી અને મુચકુંદી, કુષ્ણ નદી હજું પણ સપાટીથી ઉપર વહી રહી છે.