સૌરાષ્ટ્રમાં ખૂનામરકી વધી રહી છે. નાની નાની વાતોમાં લોહી તરસ્યા લોકો જીવ લેતા ખચકાતા નથી. ભાવનગરમાં છેલ્લા 5 દિવસમાં 4 ખૂન થયા છે. બિલ્ડીંગ કોંન્ટ્રાક્ટર તરીકે કામ કરતા યુવકની શનિવારે હત્યા થઈ તો, સસરાની મદદ કરવા પહોંચેલા જમાઈનું મર્ડર થઈ ગયું. તેવી જ રીતે પવિત્ર ધામ સિદસરમાં ભૂવાને પણ ગુનાખોરોએ ના છોડ્યા.
ભૂવાની પહેલા તો લૂંટ થઈ અને ત્યારબાદ તેમને મોતને ખાટ ઉતારી દેવામાં આવ્યા. ભાવનગર શહેરના સુભાષનગરમાં બ્રાહ્મણ યુવકની ભાગવત સપ્તાહ દરમિયાન ગાડી પાર્ક કરવા જેવા નજીવા મુદ્દે હત્યા થઈ.
તો આ તરફ સુરેન્દ્રનગરમાં સગા દીકરાએ જણેતાને ધારીયાના ઘા મારી હત્યા કરી નાખી. સુરેન્દ્નનગરમાં વ્યાજખોરોનો આતંક હજુ પણ બરકરાર છે. માત્ર 20 હજાર રૂપિયા માટે મુસ્લિમ યુવકની હત્યા થઈ. ગુનાખોરો રાત્રી અને દિવસે પોલીસ માટે પડકારજનક બની રહ્યાં છે.
લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવી રહ્યાં છે અને એક તરફ કાયદાનું શાસન હોવાની વાતો થઈ રહી છે. આ બન્ને દ્રશ્યોમાં છેલ્લા 5 દિવસમાં 7 લોકોના માત્ર બે જિલ્લાઓમાં મોત થયા તેની તસવીરો છે.