બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / 4 million people applied twice to build toilets, now the government is in the mood to take action

હડકંપ / ટોઈલેટ બનાવવા 40 લાખ લોકોએ બે વખત અરજી કરી, હવે સરકાર કાર્યવાહી કરવાના મૂડમાં

Priyakant

Last Updated: 01:45 PM, 30 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિહારમાં સરકારી યોજના હેઠળ શૌચાલય બનાવવા માટે 40 લાખ લોકોએ સરકાર સાથે છેતરપિંડી કરી

  • 40 લાખ લોકોએ ટોઈલેટ બનાવવા બે વખત અરજી કરી
  • દસ્તાવેજોની તપાસ સમયે મામલો બહાર આવ્યો 
  • આવા અરજદારો સામે કાર્યવાહી શરૂ થશે: ગ્રામીણ વિકાસ મંત્રી

બિહારમાં પણ શૌચાલય કથિત કૌભાંડ બહાર આવ્યું છે. પ્રાથમિક વિગતો મુજબ બિહારમાં સરકારી યોજના હેઠળ શૌચાલય બનાવવા માટે 40 લાખ લોકોએ સરકાર સાથે છેતરપિંડી કરી છે. આ લોકોએ એક વખત રકમ લીધા બાદ અરજદારોએ બીજી વખત પણ 12 હજાર રૂપિયા માટે અરજી કરી હતી. જોકે 12,000 રૂપિયા વિતરણના દસ્તાવેજોની તપાસ કરતાં સમયે આ મામલો બહાર આવ્યો છે. 

બિહારમાં 40 લાખ લોકોએ ટોઈલેટ બનાવવા બે વખત અરજી કરી

બુધવારે બિહાર વિધાનસભાની કાર્યવાહી દરમ્યાન એક્ ચોંકાવનારી માહિતી સામે આવી હતી. જેમાં સરકારી યોજના હેઠળ શૌચાલય બનાવવા માટે 40 લાખ લોકોએ બિહાર સરકાર સાથે છેતરપિંડી કરી હોવાનું ખૂલ્યું છે. વાત જઅને એમ છે કે, એક વખત રકમ લીધા બાદ અરજદારોએ બીજી વખત પણ 12 હજાર રૂપિયા માટે અરજી કરી હતી. 

શુ કહ્યું ગ્રામીણ વિકાસ મંત્રીએ ? 

ગ્રામીણ વિકાસ મંત્રી શ્રવણ કુમારે કહ્યું કે, અધિકારીઓ લોહિયા સ્વચ્છ બિહાર અભિયાન (LSBA) યોજના હેઠળ શૌચાલય બનાવવા માટે 12,000 રૂપિયાના વિતરણના દસ્તાવેજોની તપાસ કરી રહ્યા હતા. આ દરમ્યાન ઊંડાણપૂર્વક તપાસ કરતાં આ મામલો સામે આવ્યો છે. 

અરજદારો સામે કાર્યવાહી થશે ? 

બિહારમાં સામે આવેલા કથિત શૌચાલય કૌભાંડમાં જે અરજદારોએ ફરીથી રકમની માંગણી કરી હતી તેમની અરજીને ફગાવી દેવામાં આવી હતી અને બિહાર સરકાર હવે આવા અરજદારો સામે કાર્યવાહી શરૂ કરવાનું વિચારી રહી છે. મંત્રીએ કહ્યું કે ગ્રામીણ વિકાસ વિભાગે અત્યાર સુધીમાં લગભગ 85 લાખ લોકોને આ યોજના હેઠળ ભંડોળ બહાર પાડ્યું છે, જ્યારે 37 લાખ અન્ય લોકોએ શૌચાલયના નિર્માણ માટે કેટલાક અન્ય વિભાગો પાસેથી ભંડોળ મેળવ્યું છે.

2016માં શુ કરાયું હતું લોહિયા સ્વચ્છ બિહાર અભિયાન

લોહિયા સ્વચ્છ બિહાર અભિયાન 2016 માં રાજ્યના ગ્રામીણ વિસ્તારોને ખુલ્લામાં શૌચ મુક્ત (ODF) બનાવવા માટે શરૂ કરવામાં આવ્યું હતું. જોકે હવે એમાં પણ કથિત રીતે ટોઈલેટ બનાવવા 40 લાખ લોકોએ બે વખત અરજી કરી હોવાનું સામે આવતા મોટી કાર્યવાહી થઈ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ