મધ્યપ્રદેશના સાગર જિલ્લાની એક પ્રાઈવેટ સ્કૂલમાં કોરોના વેક્સિન આપવામાં સૌથી મોટી બેદરકારી સામે આવી છે.
મધ્યપ્રદેશના સાગરમાં હેલ્થ સેન્ટરની મોટી બેદરકારી
કંપાઉન્ડરે એક સિરિન્જથી 39 બાળકોને આપી કોરોના વેક્સિન
જિલ્લા રસીકરણ અધિકારી બરખાસ્ત
બાળકોને કોરોનાથી સુરક્ષિત બનાવવા માટે સરકાર દ્વારા મોટાપાયે વેક્સિનેશન ચાલી રહ્યું છે પરંતુ મધ્યપ્રદેશના સાગર જિલ્લાની એક સ્કૂલમાં કોરોના વેક્સિનેશન અભિયાનમાં એક સિરિન્જથી 1 નહીં 39 બાળકોને કોરોના વેક્સિન આપવામાં આવી દેતા હડકંપ મચ્યો છે અને તેના ગંભીર ઘેરા પડઘા પડ્યાં છે.
સાગરની જૈન ઉચ્ચતર માધ્યમિક શાળાની ઘટના
સાગરની જૈન ઉચ્ચતર માધ્યમિક શાળામાં મેગા રસીકરણ અભિયાન ચાલી રહ્યું હતું. જિતેન્દ્ર આહિરવાર નામનો કંપાઉન્ડર બાળકોનું વેક્સિનેશન કરી રહ્યો હતો. આ દરમિયાન સિરન્જ ખૂટી હોય કે પછી પોતે બેદરકાર રહ્યો ગમે તે કારણ હોય પરંતુ તેણે એક જ સિરિન્જથી 30 બાળકોને કોરોના વેક્સિન આપી દીધી. બાળકોએ આ અંગે માતાપિતાને ફરિયાદ કરતા હોબાળો મચ્યો હતો અને મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. પોલીસે પણ ઘટનાની ગંભીરતા પારખીને જવાબદાર કંપાઉન્ડર સામે ફરિયાદ દાખલ કરી હતી.
Thirty children at a school in Sagar (Madhya Pradesh) allegedly vaccinated by a single injection syringe | District Immunization Officer Shobharam Roshan suspended. pic.twitter.com/w9WwidXiNc
મેગા રસીકરણ અભિયાન દરમિયાન કમ્પાઉન્ડરની ઘોર બેદરકારી
આ મામલો સાગરની જૈન ઉચ્ચતર માધ્યમિક શાળાનો છે. આ ઘટના મેગા રસીકરણ અભિયાન દરમિયાન બની હતી. જિલ્લા અધિકારીએ જણાવ્યું હતું કે, બેદરકારીથી કમ્પાઉન્ડરની ઓળખ જીતેન્દ્ર આહિરવાર તરીકે થઈ હતી અને તેની સામે એફઆઈઆર નોંધાઈ હતી. ધોરણ 9થી 12માં અભ્યાસ કરતા 39 બાળકો કે જેમની ઉંમર 15 વર્ષથી વધુ છે તેમને કોરોનાની રસી આપવામાં આવી રહી હતી. આ મામલો સામે આવતા જ વાલીઓએ વિરોધ કરવાનું શરૂ કરી દીધું હતું.
જિલ્લા રસીકરણ અધિકારી બરખાસ્ત
રાજ્ય સરકારે પણ આ ઘટનાની ગંભીર નોંધ લઈને જિલ્લા વેક્સિનેશન અધિકારીને બરખાસ્ત કરી દીધા છે. તથા કંપાઉન્ડર સામે પણ પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે.
Sagar, MP | Thirty children at a school in Sagar were allegedly vaccinated by a single injection-syringe
We have got the complaint, and the probe is underway. Stringent action will be taken against those found guilty: DK Goswami, CMHO pic.twitter.com/kzPvyK7Y4t
એક સિરિન્જથી વેક્સિન આપવી ઘણા રોગોને આમંત્રણ સમાન
સામાન્ય રીતે એક સિરન્જથી એક વાર જ વેક્સિન આપી શકાય છે પરંતુ એકની એક સિરન્જનો વારંવાર ઉપયોગ કરવો ખતરનાક બની શકે છે અને ઘણા રોગોને આમંત્રણ મળી શકે છે. સાગરની સ્કૂલમાં બનેલી ઘટનામાં ઘણા વિદ્યાર્થીઓ પર રોગનો ખતરો સર્જાયો છે. આવી ઘટના ફરી વાર ન બને તેની તકેદારી રાખવી ઘણી જરુરી છે.