દેશમાં વિરોધ- પ્રદર્શન થઈ રહ્યા છે. કેટલીક જગ્યાએ તે હિંસક પણ બન્યા છે. સાર્વજનિક સંપત્તિને પણ નુકશાન થઈ રહ્યું છે. કારણ છે નાગરિકતા સંશોધન કાયદો. આખરે ઈન્ટરનેટ શા માટે બંધ કરવામાં આવે છે. કેટલાક લોકો તેની મદદથી અફવા ફેલાવે છે. ત્યારે આ અફવાને રોકવાના હેતુથી ઈન્ટરનેટ બંધ કરવામાં આવે છે. છેલ્લા 8 વર્ષમાં 367 વખત ઈન્ટરનેટ બંધ કરવામાં આવ્યું છે.
હિંસાના કારણે સૌથી વધુ વખત થયા ઈન્ટરનેટ બૅન
2018માં 134 વખત બંધ રહ્યું ઈન્ટરનેટ
સૌથી વધારે વખત ઈન્ટરનેટ બંધ જમ્મૂ કાશ્મીરમાં રહ્યા
આતંક - હિંસા ઈન્ટરનેટ બંધ થવાનું મોટું કારણ
2014થી હાલ સુધીમાં દેશમાં 367 વખત ઈન્ટરનેટ બંધ થઈ ચૂક્યું છે. તેની પાછળનું કારણ છે કે આતંકવાદ અને સાંપ્રદાયિક હિંસા. ભારતમાં છેલ્લા 8 વર્ષમાં 367 વખત ઈન્ટરનેટ બૅન રહ્યું છે. મળતી માહિતી અનુસાર 2012માં 3 વાર, 2013માં 5 વાર, 2014માં 6 વાર, 2015માં 14 વાર, 2016માં 31 વખત, 2017માં 79 વખત, 2018માં 134 વાર અને 2019માં 95 વાર ઈન્ટરનેટ બંધ થયું હતું.
2018માં સૌથી વધારે વખત બંધ રહ્યું ઈન્ટરનેટ
વર્ષ 2018માં ભારતમાં કુલ 134 વખત ઈન્ટરનેટ સેવાઓ બંધ રાખવામાં આવી હતી. આ સંખ્યા દુનિયામાં સૌથી વધારે વખત હતી. એ સમયે દુનિયામાં ઈન્ટરનેટ બંધની જાહેરાતોમાં 67 ટકા ભારતમાં થઈ હતી.
સૌથી વધારે ઈન્ટરનેટ બંધ જમ્મૂ કાશ્મીરમાં રહ્યા
છેલ્લા 8 વર્ષમાં સૌથી વધારે ઈન્ટરનેટ બંધ જમ્મૂ કાશ્મીરમાં રાખવામાં આવ્યું. આ લગભગ 180 વખત છે. આતંકી ગતિવિધિઓ અને થનારી હિંસાને આધારે આ પગલું લેવામાં આવે છે.