ગાંધીનગરમાં એન્ટીબોડીની ટકાવારી જાણવા ગ્રામ્ય અને શહેરી વિસ્તારના કુલ 100 જેટલા ક્લસ્ટરમાંથી 3600 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા
એન્ટીબોડીની ટકાવારી જાણવા લેવાયા સેમ્પલ
100 ક્લસ્ટરમાંથી 3600 સિરમ સેમ્પલ લેવાયા
કેટલાક ટકા લોકોમાં એન્ટીબોડી બની તે માટે સર્વે
રાજ્યમાં હાલ કોરોના સંક્રમણના કેસનું પ્રમાણ ઘટ્યું છે, જોકે હજુ પણ કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાઓ સેવાઈ રહી છે ત્યારે રાજ્યમાં વેક્સિનનેશન પ્રક્રિયા અંતર્ગત લાખો લોકોને વેક્સિનનો પ્રથમ અને બીજી ડોઝ આપવામાં આવ્યો છે, પરતું કેટલા લોકોમાં કેટલા ટકા એન્ટીબોડી ડેવલોપ થઈ તે જાણકારી મેળવવા માટે એક ટેસ્ટ કરવામાં આવ્યો છે. તે માટે ગાંધીનગર ખાતે એક શિરો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં એન્ટીબોડીની ટકાવારી જાણવા ગ્રામ્ય અને શહેરી વિસ્તારના કુલ 100 જેટલા ક્લસ્ટરમાંથી 3600 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે.
100 ક્લસ્ટરમાંથી 3600 સિરમ સેમ્પલ લેવાયા
આ સર્વેમાં 18થી વધુ વયના 2000 લોકોના સેમ્પલ લેવાયા છે જ્યારે 10થી 18 વયના 1000 લોકોના સેમ્પલ લેવાયા છે તેમજ 6 થી 10 વયના 600 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે જે બાદ તમામ સેમ્પલને ટેસ્ટીંગ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. લેબોરેટરીના રિપોર્ટના આધારે જિલ્લામાં કેટલા ટકા લોકોમાં એન્ટીબોડી ડેવલોપ થઇ છે તેની જાણકારી મળવવામાં આવશે. જેના થકી કોરોનાની સંભવિત ત્રીજી લહેરને હરાવવા માટે કેટલા લોકોમાં કેટલા ટકા એન્ટીબોડી ડેવલોપ થઇ છે તે જાણવામા આવી રહ્યું છે.
એન્ટીબોડીની ટકાવારી જાણવા લેવાયા સેમ્પલ
મહત્વનું કે તબીબી ક્ષેણના નિષ્ણાંતો દ્વારા સભંવિત ત્રીજી લહેર શક્યતાઓ સેવવામાં આવી રહી છે. કોરોનાને હરાવવા માટે કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા વેક્સિનેશનની કામગીરીને વેગવંતી બનાવી છે. પરતું કેટલા ટકા લોકોમાં એન્ટીબોડી બની છે તે જાણવા માટે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા શિરોસર્વે હાથ ધરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગ મુજબ જિલ્લાના મનપા વિસ્તારમાં કુલ 50 અને ગ્રામ્ય વિસ્તારમાં કુલ 50 ક્લસ્ટરમાં એમ મળીને કુલ 3600 લોકોના સીરમ સેમ્પલ લેવામાં આવ્યા છે.
1 કિટમાં 92થી 94 સેમ્પલનો ટેસ્ટ
મહત્વનું છે કે આ સર્વેમાં 1 કિટમાં 92થી 94 સેમ્પલનો ટેસ્ટ કરવામાં આવે છે શિરોસર્વે માટે નિયત કરેલી કિટને એલાઇઝા ટેસ્ટ કિટ કહેવામાં આવે છે. તેમાં એક કિટમાં કુલ-92થી 94 સેમ્પલનો સમાવેશ થાય છે. કીટમાં લેવાયેલા સીરમ એક સપ્તાહ સુધી કોલ્ડ ચેઇનથી 2થી 8 ડીગ્રી ટેમ્પેચરવાળા ડિપફ્રિજમાં સુરક્ષિત રાખી શકાય છે.