ઉત્તરાખંડમાં નવા મુખ્યમંત્રી પુષ્કર ધામીનું નામ સામે આવ્યા બાદ પાર્ટીના વરિષ્ઠ નેતાઓમાં નારાજગી ફેલાઈ છે. સાથેજ 35 ધારાસભ્યો રાજીનામું આપી શકે છે. તેવી ચર્ચાએ જોર પક્ડયું છે.
નવા મુખ્યમંત્રીનુ નામ જાહેર થતા અમુક નેતાઓમાં નારાજગી
પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ ગુપ્ત બેઠક રાખી હતી
ગૃહમંત્રી અમિતશાહે સતપાલ માહારાજ સાથે મુલાકાત લીધી
ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી તરીકે પુષ્કર સિંહ ધામીનું નામ જાહેર થયા બાદ પાર્ટીના અમુક નેતાઓમાં નારજગી જોવા મળી રહી છે. જે નેતાઓમાં નારાજગી છે તેમાં યર નેતાઓ પણ શામેલ છે. તેવામાં એવી ચર્ચાએઓ જોર પકડ્યું છે કે સતપાલ મહારાજ દિલ્હી પહોચ્યા હતા અને તેમના 35 ધારાસભ્યતો રાજીનામું આપવા તૈયાર છે.
વરિષ્ઠ નેતાઓએ ગુપ્ત બેઠક રાખી
હરક સિંહ રાવત પણ દિલ્હી પહોચ્યા છે. ત્યારે આ સમયે પુષ્કરસિંહે પૂર્વ સીએમ તીરથ સિંહ રાવત અને ત્રિવેન્દ્ર સિંહ રાવત સાથે મુલાકાત લીધી હતી. જ્યારથી પુષ્કરસિંહનુ નામ મુખ્યમંત્રી તરીકે સામે આવ્યું છે, ત્યારથી અમુક વરિષ્ઠ નેતા કેબિનેટમાં રહે કે ન રહે તે મુદ્દે વિચાર કરવામાં આવી રહ્યા છે.બીજી તરફ નવા મુખ્યમંત્રીનું નામ જાહેર થયા બાદ વરિષ્ઠ નેતાઓએ એક ગુપ્ત બેઠક પણ રાખી હતી તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે.
સતપાલ મહારાજ હજુ દિલ્હીમાં
સૂત્રો દ્વારા એવી માહિતી સામે આવી છે , કે કેન્દ્રિય ગૃહમંત્રી અમિતશાહે સતપાલ મહારાજ અને હરક સિંહ રાવત સાથે મુલકાત લીધી હતી. તેમણે બંન્ને નેતાઓને નવા મુખ્યમંત્રીને સહયોગ આપવા માટે કહ્યું. પરંતુ પાર્ટીના વરિષ્ઠ નેતાઓને આ નિર્ણય મંજૂર નથી સતપાલ મહારાજ તો ગૃહમંત્રી અમિતશાહ સાથે વાત કર્યા બાદ પણ હજુ દિલ્હીમાંજ રોકાયેલા છે.
કેબિનેટ મંત્રી બંશીધરે ભગતે આપ્યું મહત્વનું નિવેદન
મહત્વનું છે કે વરિષ્ઠ નેતાઓમાં નારાજગી કઈક વધારે જોવા મળી રહી છે. ત્યારે સાંજે શપથવીધીમાં કેટલા વરિષ્ઠ નેતાઓ હાજર રહે છે. તે હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે. તીરથસિંહ રાવતની સરકારના કેબિનેટ મંત્રી બંશીધર ભગતે પણ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે.
ઉત્તરાખંડમાં આ નિર્ણયથી બધા લોકો ખુશ
બંશીધર ભગતનું કહેવું છે કે 35 ધારાસભ્ય પહોચ્યા છે. આ વાતમાં કોઈ તથ્ય નથી આ વાત તેમણે એક અફવા ગણાવી. સાથેજ બીજેપી એમએલએ ધનસિંહ રાવતે કહ્યું કે ઉત્તરખંડમાં બધા લોકો આ નિર્ણયથી ખુશ છે. જોકે આ બધી અફવાઓને કારણે પુષ્કર સિંહ ધામીએ તીરથસિંહ રાવત અને ત્રિવેન્દ્ર સિંહ રાવત સાથે મુલાકાત લીધી હતી. જેથી બધીજ ગેરસમજ દૂર થાય.
ગેરહાજર લોકોની નારાજગી ખબર પડશે
ઉલ્લેખનીય છે કે આજે પુષ્કર સિંહ મુખ્યમંત્રી તરીકે શપથ લેવાના છે, ત્યારે આ શપથ વિધીની લોકો કાગડોળે રાહ જોઈને બેઠા છે. તેના પાછળનું કારણ છે કે શપથ વિધીમાં જે પણ લોકો ગેરહાજર હશે તેમની નારાજગી સામે આવી જશે.