ભૂકંપનું મુખ્ય કેન્દ્વ બિંદુ અરૂણાચલ પ્રદેશના ચાંગલાંગ નોઘાયું હતું.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી પાસેથી મળેલી માહિતીના આધારે અરૂણાચલ પ્રદેશમાં રવિવારે ભૂકંપના આંચાકા અનુભવાયા હતાં. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.4 માપવામાં આવી હતી. આ ભૂકંપ બપોરે 3: 6 કલાકે આવ્યો હતો અને તેનું મુખ્ય કેન્દ્વ અરૂણાચલના ચાંગલાંગમાં નોધાયું હતું. અત્યાર સુધી કોઈ જાનહાનિ અથવા સંપત્તિના નુક્શાનના અહેવાલો મળ્યાં નથી
વહેલી સવારે કચ્છમાં 3.1 તીવ્રતા વાળો ભૂંકપનો આંચકો આવ્યો હતો
અરૂણાચલ પ્રદેશમાં 4.4 તીવ્રતા વાળો ભૂંકપ આવ્યો તે પહેલા ગુજરાતના કચ્છમાં બપોરના સમયે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપના આંચકાની તીવ્રતા 3.1નોંધાઇ હતી. ભૂંકપનું મુખ્ય કેન્દ્વ બિંદુ દુધઈથી 26 કિલોમીટર દૂર નોધાયું હતું ભૂકંપને લઇને આ વિસ્તારના લોકોમાં ડર ફેલાયો હતો. લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
શનિવારે જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતાં
શનિવારે કેન્દ્વ શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં શનિવારે મોડી સાંજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.3 માપવામાં આવી હતી. આના ત્રમ દિવસ પહેલા લદ્દાખમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતાં.
ભૂકંપ કેમ આવે છે?
ધરતીકંપ પૃથ્વીના બાહ્ય સ્તરમાં અચાનક હલનચલન દ્વારા પેદા થતી ઉર્જાના પરિણામે થાય છે. આ ઉર્જા પૃથ્વીની સપાટી પર ભૂકંપ તરંગો પેદા કરે છે, જે જમીનને હલાવીને અથવા વિસ્થાપિત કરીને પ્રગટ થાય છે. ભૂકંપ કુદરતી ઘટનાઓ અથવા માનવશાસ્ત્રના કારણોથી થઈ શકે છે. ભૂકંપ ઘણીવાર ભૂસ્તરશાસ્ત્રીય ખામીને કારણે થાય છે. મોટા પ્રમાણમાં ગેસનું સ્થળાંતર, મુખ્યત્વે પૃથ્વીની અંદર મિથેન, જ્વાળામુખી, ભૂસ્ખલન અને પરમાણુ પરીક્ષણો મુખ્ય ખામી છે.