ટેલિવિઝનનો સૌથી લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 12 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યું છે. શોને દર્શકો ખૂબ જ પસંદ કરે છે. ત્યારે હવે આ શોના 3000 એપિસોડ પૂરા થવાના છે.
તારક મહેતાના 3000 એપિસોડ્સ થશે પૂરા
શોના પ્રોડ્યૂસર અસિત મોદીએ ફેન્સને આપી જાણકારી
હવે શોમાં દયાબેનને શોમાં લાવવાની માંગ ઉઠી રહી છે
તારક મહેતાના 3000 એપિસોડ્સ પૂરા થતા પ્રોડ્યૂસર અસિત મોદીએ ટ્વિટ કરીને જાણકારી આપી છે. તેમણે લખ્યું- અમારા બધાં પ્રિય અને સન્માનનીય દર્શકોસ અમે 24 સપ્ટેમ્બર 2020એ 3000 એપિસોડ્સ પૂરા કરી રહ્યાં છે. અસિત મોદીની આ ટ્વિટ પર ચાહકોએ તેમને અભિનંદન આપવાનું શરૂ કર્યું. આ સાથે, ઘણાં ચાહકોએ તેમને દયાબેન એટલે કે અભિનેત્રી દિશા વાકાણીને ફરીથી શોમાં લાવવા અપીલ કરી, પરંતુ 3 વર્ષ બાદ પણ તે શોમાં પરત ફરી નથી.
Hum Gokuldham ka kissa hi nahi, aap sabke zindagi ka hissa bhi hain.
Aaiye saath milkar sab ke saath manaate hain 3000 episodes ki khushiyaan.
ફેન્સે શોના બધાં કલાકારો અને પ્રોડ્યૂસરને અભિનંદન આપવાનું શરૂ કર્યું. પરંતુ સાથે જ ફેન્સે કહ્યું કે, દિશા વાકાણીની શોમાં વાપસી થવી જોઈએ, જેથી દર્શકોને મજા આવે. જ્યારે કેટલાક ફેન્સનું કહેવું છે કે, તેઓ શોમાં દિશાને મિસ કરે છે અને ઈચ્છે છે કે, તે 3000મા એપિસોડમાં જોવા મળે.
વીડિયો કોલ પર જોવા મળી હતી
તમને જણાવી દઈએ કે, ઘણીવાર દિશાના શોમાં પાછા ફરવાના સમાચાર આવે છે અને ચાહકો ઘણાં સમયથી તેના પરત આવવાની રાહ જોઈ રહ્યાં છે. થોડા સમય પહેલા તે શોમાં દેખાઇ હતી પરંતુ આ દરમિયાન તે એક વીડિયો કોલ પર જોવા મળી હતી. તે સેટ પર આવી નહોતી. તારક મહેતાના હાલમાં જ 12 વર્ષ પૂરા થયા છે. આ શો 28 જુલાઈ 2008માં શરૂ થયું હતું.