સોમનાથઃ દેવાધિદેવ મહાદેવનું સોમનાથ મંદીર હજુ સુવર્ણથી સજવા માટે સોનનું દાન કરવામાં આવ્યું છે. સોમનાથ મંદીરના મુખ્ય સુવર્ણ દાતા દીલીપ લખી પરીવાર દ્વારા સોનાનું દાન આપવામાં આવ્યુ છે. અગાઉ 110 કીલો સોનું દાનમાં આપ્યુ હતું. તાજેતરમાં ફરી 30 કોલો સોનું દાનમાં આપવામાં આવ્યુ છે.
તેમાંથી ગર્ભગૃહની આગળના કુલ 72માંથી 10 સ્થંભોને સુવર્ણ જડીત કરવાનું કામ શરૂ કરવામાં આવ્યુ છે. જેના ફર્મા દિલ્હી સ્થિત અંબા લક્ષ્મી જ્વેલર્સ દ્વારા બનાવાય છે. બે પીલર હાલ સોનાથી મઢાઈ ચુક્યા છે. આ રીતે જોઇએ તો સોમનાથ મંદિરનો સુર્વણયુગ ફરીથી આવ્યો છે.
પ્રથમ જ્યોતીર્લીંગ સોમનાથ મંદીરના આગળ ના 10 પીલર સ્થંભને સુવર્ણ જડીત કરવાની કામગીરી શરૂ કરાય છે. આ પૈકીના 2 સ્થંભ સોનેથી મઢાયા છે. સોમનાથનો ફરી સુવર્ણયુગ આવ્યો છે.
જેમાં ઓમ સ્વસ્તીક દીવડા કળશ ત્રીશુલ જેવા ચીન્હો રખાયા છે. ત્યારે આગામી સમયમાં આગળના 10 સ્થંભો પીલરો સોનેથી મઢાશે એટલે સોમનાથના દર્શન કરી ભાવીકો ધન્ય બનશે.
સોમનાથ મંદીરને સોનાના દાતા દીલીપભાઈ લખી પરીવાર દ્વારા દાન મળી રહ્યુ છે. ત્યારે પ્રથમ ત્રીશુલ ડમરૂ ગર્ભગૃહ થાળું વગેરે સોનાથી મઢાયા હતા. હાલ તેમણે વધુ 30 કીલો સોનાનું દાન આપતાં મંદીરની અંદર આવેલ 72 પીલરસ્થંભો પૈકીના 10 આગળના પીલર મઢવાનું કામ ચાલી રહ્યું છે. જેમાં ત્રશુલ ઓમ સ્વસ્તીક સહીતની કોતરણી કરાય છે. હાલ બે પીલર મઢાઈ ચુક્યા છે અનેય બાકી આવનારા વીકમાં મઢાઈ રહેશે.