કચ્છમાં ભૂકંપના આંચકા નોંધાયા છે. દુધઈથી 21 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. આ પહેલા 19 સપ્ટેમ્બરે કચ્છમાં ભૂકંપ આવ્યો હતો.
કચ્છ જિલ્લામાં 2.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
દુધઈથી 21 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ
ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ
મળતી વિગતો પ્રમાણે, કચ્છ જિલ્લામાં ભૂકંપનો આંચકો અનુભાવ્યો છે , રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.9 નોંધાઈ છે જ્યારે દુધઈથી 21 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું સામે આવ્યું છે. ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. કંપના આંચકાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો જોકે ધરતીકંપની તીવ્રતા સામાન્ય હોવાથી અન્ય કોઈ નુકસાનના સમાચાર નથી
21 સપ્ટેમ્બરે અમરેલી જિલ્લાના ખાંભા પંથકમાં પણ ભૂકંપ
તો આ તરફ અમરેલી જિલ્લાના ખાંભા પંથકમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. બપોરે 2 વાગ્યેને 32 મિનિટે ધરતીકંપ થતાં સ્થાનિકોમાં ભય ફેલાયો હતો. તો ભૂકંપનું કેન્દ્ર બિંદુ ઉનાથી આશરે 30 કિલોમીટર દૂર હોવાનું સામે આવ્યું હતું
19 સપ્ટેમ્બરે કચ્છ આવ્યો હતો ભૂકંપ
અરૂણાચલ પ્રદેશમાં 4.4 તીવ્રતા વાળો ભૂંકપ આવ્યો તે પહેલા ગુજરાતના કચ્છમાં બપોરના સમયે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપના આંચકાની તીવ્રતા 3.1નોંધાઇ હતી. ભૂંકપનું મુખ્ય કેન્દ્વ બિંદુ દુધઈથી 26 કિલોમીટર દૂર નોધાયું હતું ભૂકંપને લઇને આ વિસ્તારના લોકોમાં ડર ફેલાયો હતો. લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
ભૂકંપ કેમ આવે છે?
ધરતીકંપ પૃથ્વીના બાહ્ય સ્તરમાં અચાનક હલનચલન દ્વારા પેદા થતી ઉર્જાના પરિણામે થાય છે. આ ઉર્જા પૃથ્વીની સપાટી પર ભૂકંપ તરંગો પેદા કરે છે, જે જમીનને હલાવીને અથવા વિસ્થાપિત કરીને પ્રગટ થાય છે. ભૂકંપ કુદરતી ઘટનાઓ અથવા માનવશાસ્ત્રના કારણોથી થઈ શકે છે. ભૂકંપ ઘણીવાર ભૂસ્તરશાસ્ત્રીય ખામીને કારણે થાય છે. મોટા પ્રમાણમાં ગેસનું સ્થળાંતર, મુખ્યત્વે પૃથ્વીની અંદર મિથેન, જ્વાળામુખી, ભૂસ્ખલન અને પરમાણુ પરીક્ષણો મુખ્ય ખામી છે.