રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 3,085 નવા કેસ નોંધાયા, તો 36 લોકોના સંક્રમણના કારણે મોત નિપજ્યા, આજે 2,19,913 લોકોને વેક્સિન આપવામાં આવી
ગુજરાતમાંથી સતત ઘટી રહ્યું છે કોરોના સંકટ
24 કલાકમાં કોરોનાના 3,085 નવા કેસ સાથે 36 દર્દીના થયાં મોત
તૌકતે વાવાઝોડાના કારણે રસીકરણ બંધ રખાયું હતું
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 3,085નવા કેસ નોંધાયા છે, તો 36 લોકોના સંક્રમણના કારણે મોત નિપજ્યા છે. આજે ફરી એક વખત ગુજરાતમાં, કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસ કરતા આજે સાજા થનારનો આંકડો વધુ છે. જો કે, ગઈકાલ કરતા મોતની સંખ્યામાં ઘટાડો થયો છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 36 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 9701 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે, નવા કેસની સામે આજે ગુજરાતમાં 10,007 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 7,32,748 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. આમ આજે કેસ પણ ઘટ્યા અને સાજા થનારનો આંકડો રાહત આપનારો છે. રાજ્યમાં હાલ 594 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 55,548 પર પહોંચ્યો છે.
અત્યાર સુધીમાં 1,60,50,096 લોકોને અપાઇ રસી
સારા સમાચાર એ છે કે, અત્યાર સુધીમાં 1,60,50,096 લોકોનું કુલ રસીકરણ થઈ ગયું છે. તો આજે 2,19,913 લોકોને વેક્સિન આપવામાં આવી છે.
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 362 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 16 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 227 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 172 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 362 કેસ, જ્યારે ગ્રામ્યમાં 164 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 120 કેસ અને ગ્રામ્યમાં 63 કેસ નોંધાયા છે.ત્યારે જાણો 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત.....