દેશમાં કોરોના વાયરસને રોકવા માટે સરકાર દ્વારા લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આ કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવા પડી રહ્યો છે. સરકાર સતત લોકોને અપીલ કરી રહી છે કે જરૂરી કારણ વગર ઘરની બહાર ન નીકળો.
દેશના 254 ગામ દાયકાથી લોકડાઉનની સ્થિતિમાં છે
70 હજારની વસ્તી પ્રતિબંધો હેઠળ પોતાનું જીવન જીવ રહી છે
જો કે દેશમાં એક જગ્યા એવી પણ છે જ્યાં વર્ષોથી લોકડાઉન જેવી પરિસ્થિતિ છે. ભારત-બાંગ્લાદેશની સરહદ પર આવેલા ઘણા ગામડાઓ એવા છે જ્યાં દાયકાઓથી લોકડાઉન જેવી પરિસ્થિતિમાં લોકો રહે છે. ખરેખર તો સરહદ પર આ ગામ મેંસ લેંડ પર છે અને આંતરરાષ્ટ્રીય સરહદ પર લગાવામાં આવેલી કાંટાની તારની બીજી તરફ આવેલા છે.
અહીંના લોકોને પહેલા નક્કી કરેલા સમય પર જ પૂર દ્વારા જ આવન-જાવનની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ હવે કોવિડ-19ના કારણે તેઓને ઘરની બહાર આવવા-જવા પર પ્રતિબંધ લગાવામાં આવ્યો છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) ના લોકો કટોકટીની સ્થિતિમાં તેમને ખસેડવાની મંજૂરી આપે છે.
ખરેખર, આ દેશના ભાગલાના સમયની વહેંચણીને કારણે છે. પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશની સરહદ પર આવા 254 ગામોના લગભગ 70,000 લોકો વર્ષ દરમિયાન લોકડાઉન જેવી પરિસ્થિતિમાં જીવન જીવે છે.
ભાગલા વખતે, રેડક્લિફ કમિશનને સરહદો નક્કી કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. પરંતુ આ કમિશનના વડા સર રેડક્લિફ આ પહેલા ક્યારેય ભારતની મુલાકાતે આવ્યા ન હતા, ન તો તેમને અહીં આ વિશે કંઇ ખબર હતી. આવી સ્થિતિમાં તેઓએ અજીબોગરીબ રીતે સરહદના ભાગલા પાડયા, જેને લઇને આજે પણ ત્યાંના લોકો નુકસાન ભોગવી રહ્યાં છે.
10 જિલ્લામાં ફેલાયેલી છે સરહદ
ભારત સાથે બાંગ્લાદેશની 4,094 કિમી લાંબી સરહદમાંથી 2216 કિમી એકલા બંગાળના ઉત્તર થી દક્ષિણ સુધી ફેલાયેલા 10 જિલ્લા સાથે જોડાયેલી છે. સરહદ કાંટાની વાડ લગાવામાં આવ્યા બાદ અંદાજે 254 ગામડાના 70 હજાર લોકો તારની વાડની બીજી તરફ રહી ગયા. વાડમાં લગાવામાં આવેલા દરવાજા પણ ચોક્કસ સમય માટે જ ખોલવામાં આવે છે. એવામાં સાત દાયકાઓથી હજારો લોકો લોકડાઉન જેવી પરિસ્થિતિમાં જિંદગી પસાર કરી રહ્યાં છે.