ખેડૂતો કરમાવાદ તળાવ તેમજ મુક્તેશ્વર ડેમમાં પાણી નાખવા કરી રહ્યા છે માંગ, એક મહિનામાં 100થી વધુ ગામોના ખેડૂતોનું જળ આંદોલનને સમર્થન
બનાસકાંઠાના જળ આંદોલનને સમર્થન
ઘરનો પ્રસંગ બંધ રાખીને આંદોલનને સમર્થન
ખેડૂતની સગા-સંબંધીઓને રેલીમાં જવા અપીલ
બનાસકાંઠામાં પાણીની અછતને લઈને ડેમ અને તળાવ પાણીથી ભરવાની માંગ ઉગ્ર બની છે. આ જળ આંદોલનને ટેકો જાહેર કરી પાલનપુર માર્કેટયાર્ડ પણ મેદાનમાં ઉતર્યું છે. ત્યારે પાણી આપોની માંગ સાથે આવતીકાલે તા. 26 મેના રોજ યોજાનારી ખેડૂતોની મહારેલીના દિવસે માર્કેટ યાર્ડના તમામ વેપારીઓએ બંધ પાળી આ આંદોલનને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. મહત્વનું છે કે પાણી અંગે અનેક વખત રજૂઆત કરવા છતાં પ્રશ્નનો નિવેડો ન આવતા ખેડૂતો આકરા પાણીએ થયા છે અને જળ આંદોલનનું રણશિંગુ ફૂંક્યું છે.
ખેડૂતની ખુમારી તો જુઓ
ત્યારે બનાસકાંઠામાં ખેડૂતોના જળ આંદોલનને અનોખુ સમર્થન મળ્યું છે. જળ આંદોલન માટે ખેડૂતે પોતાના ઘરનો પ્રસંગ બંધ રાખ્યો. લગ્ન પ્રસંગમાં યોજાનાર મામેરાનો પ્રસંગ બંધ રાખી તમામને આ જળ માટેના આંદોલનને સફળ બનાવવા હાંકલ કરી છે. વિગતે વાત કરીએ તો વડગામના ભેમજીભાઇ ચૌધરીના ઘરેથી તેમની બહેનના ઘરે મામેરૂ જવાનું હતુ. ભેમજીભાઇએ પ્રસંગ બંધ રાખી રેલીમાં જવા માટે તેમના સગા-સંબંધીઓને અપીલ કરી છે.બનાસકાંઠામાં આવતીકાલથી ખેડૂતોના જળ આંદોલનની શરૂઆત થશે
મહાઆંદોલનને કોનું સમર્થન?
જિલ્લાના 125 ગામડાઓના ખેડૂતોની મહારેલી
નાગવાસણ, જગાણા, ટાકરવાડા ગામના ખેડૂતોનું સમર્થન રાત્રી સભા યોજાઈ
તળાવ-ડેમમાં નર્મદાના પાણી પહોંચશે નહીં ત્યાં સુધી ખેડૂતોની લડતની ચીમકી
'પાણી આપો'ની માંગ સાથે 25 હજાર ખેડૂતો યોજાશે રેલી
ઉનાળાની વિકટ સ્થિતિ વચ્ચે પાલનપુર તેમજ વડગામ તાલુકાના 125 ગામોંમાં પાણીનું સંકટ ઘેરું બન્યું છે. પાણીની માંગ અંગે અનેક વખત રજૂઆત કરાયા બાદ હવે ખેડૂતો આંદોલનના માર્ગે વળ્યા છે. છેલ્લા ૨૫ વર્ષથી કરમાવાદ તળાવ તેમજ મુક્તેશ્વર ડેમમાં પાણી ઠલવાય તે અંગે ખેડૂતો રજુઆતો કરી-કરીને થાકયા છે. પરંતુ પરિણામમાં 'અંતમાં શૂન્ય તણો સરવાળો' ની માફક માંગ સંતોષાય નથી. જેને લઈને પોતાની માંગને બુલંદ કરવા ખેડૂતો દ્વારા આવતીકાલે 26ના રોજ જળ આંદોલનને લઈને મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જે રેલીની ખેડૂતો દ્વારા તડામાર તૈયારીઓ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. પાણીની માંગને સરકારના કાન સુધી પહોંચાડવા આશરે ૨૫ હજારથી વધુ ખેડૂતો આ મહારેલીમાં જોડાશે.
જળ આંદોલન કેમ?
વડગામના મોટાભાગના અને પાલનપુરના અનેક ગામડાઓમાં પાણીની વિકટ પરિસ્થિતિ
સિંચાઇ માટે પાણીની તંગી વર્ષોથી છે,પણ હવે પીવાના પાણીની પણ સમસ્યા સર્જાય તેમ છે
10 દિવસ અગાઉ 125 ગામના ખેડૂત આગેવાનોએ કળશ પૂજન કરી જળ આંદોલનની શરૂઆત કરી
જળ આંદોલનના સમર્થન બાદ કરમાવદ તળાવ માટે વિશાલ રેલી યોજાશે
જિલ્લાના અનેક ગામડાઓ આપી રહ્યા છે જળ આંદોલનને સમર્થન
ટેકામાં માર્કેટ યાર્ડના વેપારીઓ પાળશે બંધ
કરમાવાદ તળાવ તેમજ મુકેશ્વર ડેમ તળિયાઝાટક છે. આ ડેમમાં પાણી ભરવામાં આવે તો 125 ગામડાંના ખેડૂતોને ફાયદો થઇ શકે તેમ છે. માર્કેટયાર્ડના વેપારીઓનું કહેવું છે કે ખેડૂતોને પાણી નહીં હોય તો કેવી રીતે ખેતી કરી ઉપજ મેળવશે અને કેવી રીતે ગંજ બજાર સુધી આવશે? તો અમારો આ ખેડૂતોને ટેકો છે. ખેડૂતો થકી આ માર્કેટ યાર્ડ ટકેલા છે. ત્યારે સરકાર ખેડૂતોની માંગ પૂરી કરી પાણી આપે જેથી આ વિસ્તારમાં પાણીની સમસ્યા દૂર થાય અને ખેડૂતો ખેતી કરી સમૃદ્ધ બને. તેમ યાર્ડના વેપારીઓએ સૂર પુરાવ્યો હતો. નોંધનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી માથે છે ત્યારે ખેડૂતોએ પાણીની માંગ સાથે સરકાર સામે શિંગળા ભરાવતા સરકાર ભીંસમાં મુકાય છે.