ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના નવા અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે બાળકોમાં કોરોનાના પ્રત્યે એક ડર ઉભો થયો છે.
ઓછામાં ઓછા 22.5 ટકા બાળકોમાં કોરોના પ્રત્યે ભયનો ભાવ ઉભો થયો
લગભગ 35.2 ટકા બાળકોમાં ઉદાસી
21. 3 ટકા બાળકોમાં અનિંદ્રા જોવા મળી
કોરોનાને કારણે બાળકો પર પડી આવી અસર
દેશમાં કોરનાની બીજી લહેર બાદથી બાળકોમાં મહામારીની અસરને લઈને આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેમાં પહેલા અનેક અભ્યાસોમાં બાળકો પર કોરોનાના મનોવૈજ્ઞાનુક અસરનો ઉલ્લેખ કરાઈ ચૂક્યો છે. હવે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના નવા અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે બાળકોમાં કોરોનાના પ્રત્યે એક ડર ઉભો થયો છે. સ્ટડી કહે છે કે ઓછામાં ઓછા 22.5 ટકા બાળકોમાં કોરોના પ્રત્યે ભયનો ભાવ ઉભો થયો છે. આ ઉપરાંત લગભગ 35.2 ટકા બાળકોમાં ઉદાસી તો 21. 3 ટકા બાળકોમાં અનિંદ્રા જોવા મળી છે.
લોકડાઉન અને ક્વોરેન્ટાઈનની અસર 79 ટકા બાળકો પર પડી
સ્ટડીમાં જોવા મળ્યું છે કે કોવિડ 19 મહામારીના કારણથી બાળકોમાં બેચેની, હતાશા, ચિડિયાપણું, ઉદાસી, એકાગ્રતા ભંગ અને ડર જેવા લક્ષણો પેદા થયા છે. સ્ટડીમાં દુનિયાભરમાં થયેલા અધ્યયનનો ઉલ્લેખ થયો છે. સ્ટડી કહે છે કે સમગ્ર દુનિયામાં કોરોના કાળમાં લોકડાઉન અને ક્વોરેન્ટાઈનની અસર 79 ટકા બાળકો પર પડી છે.
ભવિષ્યમાં બાળકોની સ્થિતિ વધારે બગડવાની આશંકા
સ્ટડીમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે જો બાળકોના વ્યવહારમાં પહેલાથી સમસ્યા છે તો ભવિષ્યમાં તે વધારે બગડવાની આશંકા વધારે છે. જો કે સ્ટડીમાં આ વાત કરવામાં આવી છે કે બાળકોમાં કોરોના સંક્રમણની આશંકા મોટા લોકોની અપેક્ષાએ ઓછી છે. જો બાળકો સંક્રમણ થાય પણ છે તો સામાન્ય રીતે તેમનામાં હળવા લક્ષણો ઉભરીને આવે છે.
સ્કૂલ બંધ, દિનચર્ચા ખરાબ
હકિકતમાં કોરોનાના કારણે સ્કૂલ બંધ છે. તેવામાં બાળકોની દિનચર્ચા પણ બદલાયી છે. તેમના ખાવા, ઉંઘવાનો સમય બદલાયો છે. તે મોડે સુધી કોઈ પણ સમયે સુવે છે જમે છે. તેના કારણે તેમના સ્વાસ્થ્ય પર અસર પડી રહી છે. ત્યારે તેમનામાં ઉંધ પુરી ન થવા જેવી સમસ્યા ઉભી થવા લાગે છે. એક જગ્યાએ સતત રહેવું, મિત્રો, સ્કુલથી અંતર બાળકોમાં તણાવનું કારણ બની રહ્યુ છે. ત્યારે બીજી તરફ કોરોનાનો ભય ઉભો થવાથી તણાવ વધી રહ્યો છે. તેના કારણે તે ભણવામાં મન નથી લગાવી શકતા.