અંકલેશ્વર નજીક હાઇવે પર ટ્રક-કન્ટેનર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં 2 વ્યક્તિના મૃત્યુ થયાનું સામે આવ્યું છે.
અંકલેશ્વર નજીક હાઇવે પર અથડાઈ 2 ટ્રક
હાઈવે પર અકસ્માતમાં 2 વ્યક્તિના મૃત્યુ
ઘટનાને પગલે રોડ પર ટ્રાફિકજામના દ્રશ્યો
અંકલેશ્વર નજીકનો હાઇવે આજે વધુ એક વખત રક્તરંજીત બન્યો હતો. અંકલેશ્વર નજીક અકસ્માતની ગોઝારી ઘટના સામે આવી હતી. એક કન્ટેનર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ટ્રકમાં સવાર બે વ્યક્તિઓના ઘટના સ્થળ ઉપર જ મોત થયા હતા.જે ઘટનાને લઈને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
ગોઝારી ઘટનામાં 2 યવાનોના કમકમાટીભર્યા મોત
અંકલેશ્વર નેશનલ હાઇવે પરની નવજીવન હોટલ નજીક આજે અકસ્માતની ઘટના સામે આવી હતી. વડોદરાથી મુંબઈ તરફ કન્ટેનર જઈ રહ્યું હતું. તે સમય દરમિયાન કાપોદ્રા ગામ તરફથી નીકળી હાઇવે પર એક ટ્રક એકાએક આવી ગયો હતો. જે વેળાએ ટ્રક ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા ટ્રક કન્ટેનર સાથે ધડાકાભેર અથડાઈ હતી.આ ગોઝારી ઘટનામાં 2 યવાનોના કમકમાટીભર્યા મોત નિપજતા હાહાકાર માચી ગયો હતો.
પોલીસે ઘટનાસ્થળે પહોચીને કાર્યવાહી હાથધરી
માર્ગ અકસ્માતમાં બે લોકોના મોત નિપજયા હોવાની ઘટના સામે આવતા આજુબાજુના લોકો અને વાહનચાલકો દોડી આવ્યા હતા અને બંને મૃતકોના મૃતદેહને બહાર કાઢવા સહીતની કામગીરી હાથ ધરી હતી. તો બીજી તરફ બે ટ્રક વચ્ચે થયેલા અકસ્માતને લઇને રોડ પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. જેને પગલે સ્થાનિક પોલીસ પણ તાબડતોબ દોડી ગઇ હતી અને ટ્રાફિકને ક્લિયર કરાવી બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપીને અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.