નવી દિલ્હી: કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થું 2 ટકા વધારી દીધો છે. ત્યારબાદ મોંઘવારી ભથ્થું વધારીને 7 ટકા થઇ ગયું છે. બુધવારે કેબિનેટની બેઠકમાં આ નિર્ણ લેવામાં આવ્યો છે. બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ સામેલ રહ્યા હતા.
મોદી કેબિનેટના આ નિર્ણયનો 1.10 કરોડ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો મળશે. આ નવો દર 1 જાન્યુઆરી 2018થી લાગૂ માનવામાં આવશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે થયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની મંજૂરી આપવામાં આવી છે. હાલના 5 ટકાથી વધીને સાચ ટકા કરી દેવામાં આવ્યો છે. કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું અને પેન્શનરો માટે મોંઘવારી રાહતનો વધારો 1 જાન્યુઆરી 2018થી લાગૂ થશે. આ નિર્ણયનો કેન્દ્ર સરાકારના 48.41 લાખ કર્મચારીઓને 61.17 લાખ પેન્શરોને ફાયદો થશે.
સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે મોંઘવારી ભથ્થું મોંઘવારી રાહતના વધેલા દરથી સરકારી ખજાના પર વર્ષના 6 077.72 કરોડ રૂપિયા અને વર્ષ 2018 19 આ રકમ કુલ મળીને 7 090.68 કરોડ રૂપિયા થશે.
આ પહેલા સરકારે ગત વર્ષે માર્ચ અને સપ્ટેમ્બરમાં મોંઘવારી ભથ્થું વધાર્યું હતું. પહેલા 1 ટકા અને 2 ટકાનો વધારો કર્યો છે. જે હવે વધીને 7 ટકા પહોંચી ગયો છે.