પંચક એટલે એવા પાંચ દિવસો જેમાં કોઇ પણ શુભ કાર્યો કરવા વર્જિત ગણાય છે આ મહિનામાં પાંચ એવા દિવસો છે જે મૃત્યુ સમાન આપે છે કષ્ટ
જ્યોતિષ શાસ્ત્રમાં પંચકનું છે ખાસ મહત્વ
18જૂનથી શરૂ થયું મૃત્યુ પંચક
23 જૂન સુધી ખાસ આ બાબતોનું રાખવું ધ્યાન
હિંદુ ધર્મમાં પંચકનું વિશેષ મહત્વ છે. જ્યોતિષના જણાવ્યા અનુસાર દર મહિને એવા પાંચ દિવસ હોય છે જેમાં શુભ કાર્ય વર્જિત હોય છે. જેને પંચક કહે છે. કેટલાક પંચક ખૂબ જ અશુભ માનવામાં આવે છે, જેમાં 'મૃત્યુ પંચક' પણ હોય છે. શનિવારથી શરૂ થતા પંચકને મૃત્યુ પંચક કહેવાય છે જે ખૂબ જ અશુભ માનવામાં આવે છે.
ક્યારે લાગે છે પંચક ?
જ્યોતિષીય ગણતરી મુજબ, જ્યારે ચંદ્ર ધનિષ્ઠ નક્ષત્ર અને શતભિષા નક્ષત્ર, ઉત્તરાભાદ્રપદ નક્ષત્ર, રેવતી નક્ષત્ર અને પૂર્વાભાદ્રપદ નક્ષત્રના ત્રીજા તબક્કામાં ભ્રમણ કરે છે, ત્યારે આ સમયગાળાને પંચક કહેવાય છે. પંચક કુલ પાંચ દિવસનું છે. આ સિવાય ચંદ્ર જ્યારે કુંભ અથવા મીન રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે પંચક શરૂ થાય છે.
મૃત્યુ પંચક કેટલો સમય ચાલશે
15 જૂનથી અષાઢ માસનો પ્રારંભ થયો છે. 18 જૂન શનિવારથી પંચક પણ શરૂ થઈ ગયું છે. હવે આગામી 5 દિવસ સુધી મૃત્યુ પંચક બનવા જઈ રહ્યું છે. એટલે કે મૃત્યુ પંચક શનિવાર, 18 જૂનથી ગુરુવાર, 23 જૂન સુધી ચાલશે. પંચક 23 જૂને સવારે 6.14 કલાકે પૂર્ણ થશે. આ દરમિયાન કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.
પંચકના છે પાંચ પ્રકાર
રોગ પંચક
રાજ પંચક
અગ્નિ પંચક
મૃત્યુ પંચક
ચોર પંચક
પંચક કાળમાં ભુલથી પણ આ કામ ન કરવું
પંચક કાળમાં લાકડું ભેગું કરવું કે ખરીદવું એ ખૂબ જ અશુભ માનવામાં આવે છે.
આ સિવાય ઘરમાં પલંગ તથા ઘરની છત બનાવવાની પણ મનાઈ છે.
પંચકમાં દક્ષિણ તરફની યાત્રા વર્જિત માનવામાં આવે છે. કારણ કે તેને યમની દિશા માનવામાં આવે છે.
પંચકમાં અંતિમ સંસ્કાર કરવા પર પણ પ્રતિબંધ છે.