સાચવજો /
ગુજરાતમાં કોરોનાના શાંત પાણી ઉંડા.! આજે નવા 176 કેસ, અમદાવાદમાં ત્રણ ડિજિટની નજીક આંકડો, જાણો ક્યાં કેટલા
Team VTV07:23 PM, 21 Mar 23
| Updated: 07:25 PM, 21 Mar 23
રાજ્યમાં કમોસમી વરસાદની આફત વચ્ચે કોરોનાએ પણ આફત વધારી છે, આજે રાજ્યમાં કોરોનાના 176 નવા કેસ નોંધાયા છે જ્યારે 69 દર્દી સ્વસ્થ થયા છે.
ગુજરાતમાં આજે કોરોનાના 176 કેસ
રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 99.06 ટકા
રાજ્યમાં આજે 69 દર્દીઓ કોરોનાથી સ્વસ્થ થયા
રાજ્યમાં કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે જો કે, ગઈકાલ કરતાં આજે કેસમાં ઘટાડો થતાં થોડી રાહતની વાત છે. ગુજરાતમાં ફરી કોરોનાનું સંક્રમણ વધતા આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે તો લોકોમાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. ફરી એકવાર રોજિંદા સંક્રમિત દર્દીઓનો જોરદાર વધારો થઈ રહ્યો છે. આજે આરોગ્ય તંત્ર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરાયેલી માહિતી મુજબ આજે રાજ્યમાં કોરોનાના 176 પોઝીટિવ કેસ નોંધાયા છે.
ગુજરાતમાં કોરોના કેસમાં ઉછાળો: છેલ્લા 24 કલાકમાં નવા 176 કેસ નોંધાયા, અમદાવાદ શહેરમાં સૌથી વધુ 89 કેસ, રાજકોટ અને સુરત શહેરમાં 15 -15 કેસ, એક્ટિવ કેસનો આંક 916 પર પહોંચ્યો#Gujarat#Corona#VtvGujaratipic.twitter.com/lfWxB1fCcJ
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 21, 2023
અમદાવાદમાં 90 કેસ
રાજ્યમાં નવા 176 કોરોના કેસ નોંધાયા છે.તેમજ એક્ટિવ કેસ વધીને 916 પર પહોંચ્યા છે. અમદાવાદમાં સૌથી વધુ 90 નવા કેસ નોંધાયા છે જ્યારે સુરતમાં 18 કેસ મહેસાણામાં 16 તેમજ રાજકોટમાં 19 કેસ નોંધાયા છે. વડોદરામાં 6 કેસ અમરેલીમાં 3 કેસ સામે આવ્યા છે. દાહોદમાં 1 અને ગાંધીનગરમાં 6 કેસ નોંધાયા છે તેમજ જામનગરમાં 2 કેસ નોંધાયા છે.જ્યારે ભરૂચમાં 1 કેસ નોંધાયો છે અને એક દર્દીનું મોત પણ થયું છે. જેમાં 3 દર્દી વેન્ટીલેટર પર હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉપરાંત છેલ્લા 24 કલાકમાં 817 લોકોએ કોરોના પ્રતિરોધક વેકસીન લીધી હોવાનું પણ સામે આવ્યું છે
69 દર્દીઓ કોરોનાથી સાજા થયા
ગુજરાતમાં આજે કોરોનાના 176 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 99.06 ટકા નોંધાયો છે. તેમજ આજે 69 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. હાલ રાજ્યમાં 916 કોરોનાના એક્ટિવ કેસ છે. 24 કલાકમાં 69 દર્દી સ્વસ્થ થયા છે. રાજ્યમાં આજે 817 લોકોને રસી અપાઈ છે.
કોરોનાથી સજા થવાનો દર 99.16 ટકા
વિશ્વમાં કોરોનાના વધતા કહેર વચ્ચે ગુજરાતમાં કોરોનાથી સજા થવાનો દર 99.06 ટકા છે. અત્યાર સુધીમાં 12,67,046 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જોકે ચીન સહિતના દેશોમાં વકરી રહેલી કોરોનાની ઉપાધિ સામે ફરીવાર ગુજરાતમાં કોરોનાના પોઝીટીવ કેસ વધ્યા છે. પરંતું હાલની સ્થિતિએ સાવચેતી રાખવી ખૂબ જ અગત્યની છે.
કેન્દ્ર સરકારની ગાઈડલાઈન
કોરોનાનાં વધતાં મામલાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે મહારાષ્ટ્ર, તમિલનાડુ, કેરળ, કર્ણાટક, ગુજરાત અને તેલંગાણાનાં મુખ્ય સચિવને ચિઠ્ઠી લખીને જરૂરી સાવચેતી અને કોવીડ વિરોધી ગાઈડલાઈનનું પાલન કરવાની સલાહ આપી છે.
કોવિડ 19 પ્રોટોકોલનું પાલન કરવાનો આદેશ
સ્વાસ્થ્ય મંત્રાલયનાં ગાઈડલાઈન અનુસાર ટેસ્ટ કરાવવું, કોરોનાનાં કેસને સતત મોનિટર કરવું, નવા ફ્લૂ, વાયરસ કે ઈન્ફ્સૂએંઝાની મોનિટરિંગ, જીનોમ સીકેંસિંગ અને કોવિડ અનૂકુળ વ્યવહાર અને કોવિડ 19 પ્રોટોકોલનું પાલન કરવાનો આદેશ આપ્યો છે. આ રાજ્યોમાં કોરોનાનાં કેસો વધી રહ્યાં છે. જેના કારણે વાયરસ ફેલાવાનો રિસ્ક પણ વધી રહ્યો છે. ઈન્ફેક્શનને ફેલાતો અટકાવા માટે આ રાજ્યોમાં કોરોના ગાઈડલાઈન્સ ફોલો કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.