સમગ્ર વિશ્વ કોરોનાની મહામારીમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે ગુજરાતમાં મંગળવાર સાંજ સુધીમાં કોરોનાના કુલ 175 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં 118થી વધુ કેસ લોકલ ટ્રાન્સમિશનથી નોંધાયા છે. ત્યારે ગુજરાત સહિત સમગ્ર દેશમાં દિલ્હી નિઝામુદ્દીન તબલીગી જમાત કોરોના સંક્રમણ વધારામાં મહત્વનો રોલ ભજવી રહ્યું હોય તેવો કેન્દ્રીય આરોગ્ય સચિવે પણ સ્વીકાર્યું છે.
રાજ્યના 175 કેસમાંથી 46 કેસ તબલીગી જમાત સાથે જોડાયેલાઃ જયંતિ રવિ
તબલીગી જમાતને કારણે ગુજરાતમાં પણ કોરોનાનું લોકલ ટ્રાન્સમિશન વધ્યું
ગુજરાતમાં આજ દીવસ સુધી નોંધાયેલાં 175 કોરોના પોઝિટિવ કેસમાંથી 46 કોરોના સંક્રમિત દર્દી કાંતો દિલ્હીના નિઝામુદ્દીનમાં તબલીગી જમાતમાં ગયા હતા અથવા તો ત્યાં ગયેલા લોકોના સંપર્કમાં આવેલા છે. અર્થાત્ ગુજરાતના અત્યારસુધીના કુલ કોરોના પોઝિટિવ કેસમાંથી અંદાજિત 27 ટકા લોકો તબદીલી જમાત સાથે સંબંધ ધરાવે છે.
ગુજરાતના આરોગ્ય સચિવ જયંતિ રવિ દ્વારા સંબોધાયેલી પ્રેસ કોન્ફરન્સના આકડાંઓ મુજબ રાજ્યના તબદીલી જમાત સાથે સીધો અથવા આડકતરી રીતે સંબંધ ધરાવતાં 46 કોરોના પોઝિટિવ કેસમાંથી 11 કેસ ડાયરેક્ટ તબલીગી જમાતમાં ગયેલા લોકો છે. આ સિવાયના 35 દર્દીઓ સીધા અથવા આડકતરી રીતે જમાતીઓ સાથે જોડાયેલાં છે.
આરોગ્ય સચિવના કહેવા મુજબ આ ઉપરાંત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા 29 કોરોના પોઝિટિવ કેસમાંથી 21 કેસ તબદીલી જમાત સાથે જોડાયેલાં છે. આ ઉપરાંત તેઓના કહેવા મુજબ જમાતને લીધે લોકલ ટ્રાન્સમિશન વધ્યું છે.