થોડા દિવસો અગાઉ રામ કથાકાર મોરારિબાપુએ કથા દરમિયાન જાહેરાત કરી હતી કે 'સૌથી પહેલા 5 કરોડ રૂપિયા અહીંથી મોકલીશું અને ઠાકોરજી આપણા બધાના મનોરથ પૂર્ણ કરે. આ તુલસીપત્રના રૂપમાં રૂપિયા મોકલવામાં આવશે.' જ્યારબાદ શ્રોતાઓના દાનની સરવાણી વહાવવામાં આવી હતી. ત્યારે હવે એવી માહિતી મળી રહી છે કે, 5 કરોડના બદલે 16 કરોડથી વધુનું દાન એકઠું થયું છે.
5 કરોડના બદલે 16 કરોડથી વધુની રકમ એકઠી થઇ
5 કરોડ સૌથી પહેલા મોકલીશું તેવી જાહેરાત કરી હતી મોરારિબાપુએ
મોરારિબાપુને આમંત્રણ ના મળતા નારાજગી હોવાનો ગણગણાટ
મહુવા તાલુકાના તલગાજરડા ગામે પિથોરિયા હનુમાનજી મંદિર ખાતે મોરારિબાપુની ઓનલાઇન રામકથા ચાલી હતી. તે દરમિયાન રામકથાના ત્રીજા દિવસે (27 જુલાઈ 2020) તલગાજરડામાં ચાલુ કથાએ મોરારિબાપુએ કહ્યું હતું કે, સૌથી પહેલા 5 કરોડ રૂપિયા અહીંથી મોકલીશું અને ઠાકોરજી આપણા બધાના મનોરથ પૂર્ણ કરે. આ તુલસીપત્રના રૂપમાં રૂપિયા મોકલવામાં આવશે. તેમની જાહેરાત બાદ અત્યાર સુધીમાં 16 કરોડથી વધુની રકમ એકઠી થઇ છે.
આ તમામ રૂપિયા શ્રોતાગણ તરફથી મેળવીને મોકલવામાં આવશેઃ મોરારિબાપુ
મોરારિબાપુએ જણાવ્યું હતું કે, ચિત્રકૂટધામ તલગાજરડામાં તુલસીપત્રના રૂપે ઠાકોરજીના ચરણોમાં રૂપિયા અર્પણ કરૂ છું. શ્રોતાગણ તરફથી જે પણ કંઇ આવે તે બધા રૂપિયા મેળવીને આ પૈસા મોકલવામાં આવશે. મોરારિબાપુએ જણાવ્યું હતું કે ગઈકાલે સાંજ સુધીમાં માત્ર ભારતમાંથી 10 કરોડ રૂપિયા આસપાસની રકમ એકત્ર થઈ ગઈ હતી. જ્યારે 3 કરોડ 51 લાખ રૂપિયા અમેરિકાથી અને કેનેડામાંથી આવ્યા, જ્યારે 2 કરોડ 80 લાખ રૂપિયા યુ.કે. અને યુરોપથી આવ્યાં છે. આમ કુલ અત્યાર સુધીમાં 16 કરોડથી પણ વધુની રકમ એકઠી થઈ ગઈ છે.
ઠાકોરજી અમારા મનોરથ પૂરા કરે તે માટે 5 કરોડ રૂપિયા મોકલીશુંઃ મોરારિબાપુ
મોરારિબાપુએ વધુમાં જણાવ્યું હતું કે, ચિત્રકૂટધામ તલગાજડામાં તુલસીપત્રના રૂપે ઠાકોરજીના ચરણોમાં 5 લાખ રૂપિયા અર્પણ કરૂ છું. શ્રોતાગણ તરફથી જે પણ કંઇ આવે તે બધા રૂપિયા મેળવીને 5 કરોડ મોકલવામાં આવશે. જો હું કોઇ એક વ્યક્તિને સંકેત કરૂ તો તે એકલા હાથે કરી શકે. પરંતુ એમ નહીં મારે બધા શ્રોતા પાસેથી થોડા થોડા પૈસા એકત્ર કરવા છે. ઠાકોરજી અમારા મનોરથ પૂરા કરે તે માટે 5 કરોડ રૂપિયા મોકલીશું. મારી જે પણ કથા સાંભળે છે તેની પાસેથી જે પણ રૂપિયા આપે તે બધા રૂપિયા મળી 5 કરોડ રૂપિયા રામમંદિરના નિર્માણમાં મોકલીએ છીએ. કોઇ એક વ્યક્તિને નહીં પણ બધા જ શ્રોતાઓ પાસેથી આગ્રહ કરવામાં આવશે. આ મંદિર માટે મોરારિ બાપુ નહીં પણ સૌને લાગે કે આ મંદિર આપણું છે એવું લાગે.
મોરારિબાપુને આમંત્રણ ના મળતા નારાજગી હોવાનો ગણગણાટ
તો બીજી તરફ 5 ઓગસ્ટે અયોધ્યામાં રામમંદિરનું ભૂમિપૂજન થશે. જેમાં પીએમ મોદી ઉપસ્થિત રહેશે. પીએમ મોદી સાથે 4 મહિમાનોને પણ મંચ પર સ્થાન મળશે. યુપીના સીએમ યોગી, યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને આરએસએસ સુપ્રીમો મોહન ભાગવતને મંચ પર સ્થાન મળશે. આ ઉપરાંત રામ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્યગોપાલ દાસને પણ મંચ પર સ્થાન મળશે. પરંતુ મોરારિબાપુને આમંત્રણ ના મળતા શ્રોતાઓમાં નારાજગી વ્યાપી છે. જોકે કાર્યક્રમમાં માત્ર 200 મહેમાનોને આમંત્રણ અપાયું છે. કાર્યક્રમમાં ગૃહમંત્રાલયની ગાઇડલાઇનનું પાલન કરાશે અને લોકોને એકઠા નહીં થવા દેવામાં આવે. મળતી માહિતી મુજબ ભૂમિપૂજન કાર્યક્રમમાં કોઇ કેન્દ્રિય મંત્રીને આમંત્રણ નહીં આપવામાં આવે. આ ઉપરાંત કોઇ પણ રાજ્યના CMને આમંત્રણ નહીં આપવામાં આવે.