ગલવાનના વીરો તથા છત્તીસગઢમાં નક્સલ વિરોધી અભિયાનોમાં સાહસ અને ધૈર્ય દર્શાવનાર જવાનોને પણ મેડલ આપવામાં આવશે.
દેશનાં કુલ 1,380 જવાનોને કરાશે સન્માનિત
વીરતા અને સેવા માટે કાલે અપાશે મેડલ
ગલવાનના બહાદુરોનું કરાશે સન્માન
વીર પોલીસ જવાનોને કરાશે સન્માનિત : ગલવાનના વીરોનું કરાશે સન્માન
કેન્દ્ર સરકારે પોલીસ વીરતા પુરસ્કારોનું એલાન કર્યું છે જેમાં આવતીકાલે સ્વાતંત્ર્ય દિવસ પર સરકાર તરફથી દેશનાં 1380 બહાદુર પોલીસ જવાનોનું તેમની વીરતા માટે સન્માન કરવામાં આવશે. આ જવાનોમાં ITBPનાં 23 જવાન સામેલ છે જેમાંથી 20 જવાન એવા છે જેમણે ગલવાનમાં ચીની સૈનિકોને સબક શિખવાડયો હતો. નોંધનીય છે કે ગયા વર્ષે 14 અને 15મી જૂને રાત્રિનાં સમયે ગલવાનમાં ભારત અને ચીન વચ્ચે ઘર્ષણ થયું હતું જેમાં ઘણા બધા સૈનિકો શહીદ થયા હતા.
1,380 Police personnel have been awarded Medals on the occasion of Independence Day, 2021
— Spokesperson, Ministry of Home Affairs (@PIBHomeAffairs) August 14, 2021
વીરતા અને ઉત્કૃષ્ટ સેવા માટે અપાશે મેડલ
કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ માહિતી અનુસાર બે પોલીસકર્મીઓને વીરતા માટે રાષ્ટ્રપતિ પોલીસ પદક જ્યારે 628 પોલીસ જવાનોને વીરતા માટે પોલીસ પદક એટલે કે PMG આપવામાં આવશે. આ સિવાય ઉત્કૃષ્ટ સેવા માટે 88 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ પદક ક્યારે 662 જવાનોને સારી સેવા માટે પોલીસ મેડલ આપવામાં આવશે.
વીરતા માટે રાષ્ટ્રપતિ પોલીસ પદકમાં જે બે પોલીસ જવાનોનું નામ નક્કી કરવામાં આવ્યું છે તેમાં એક જમ્મૂ કાશ્મીરનાં અમરદીપ જ્યારે CRPFનાં જવાન કાલે સુનિલ દત્તાત્રેયને મરણોપરાંત મેડલ આપવામાં આવશે.
સૌથી વધારે જવાનો કાશ્મીરના
આ વર્ષે સૌથી વધારે પોલીસ જવાનો જમ્મૂ કાશ્મીરનાં છે, J&Kના કુલ 275 જવાનોને તેમની વીરતા અને સેવા માટે મેડલ આપવામાં આવશે. વીરતા માટે મેડલ મેળવવામાં જમ્મૂ કાશ્મીરનાં 256 , CRPFનાં 150, ઓડિશાનાં 67, મહારાષ્ટ્રનાં 25, છત્તીસગઢનાં 21 પોલીસ જવાનો સામેલ છે.
નક્સલી સામે લડતા જવાનોનું પણ સન્માન
ગલવાનમાં જે જવાનોને વીરતા દર્શાવી તેમના સિવાય છત્તીસગઢમાં નક્સલ વિરોધી અભિયાનોમાં સાહસ અને ધૈર્ય દર્શાવનાર જવાનોને પણ મેડલ આપવામાં આવશે.
પ્રતિષ્ઠિત સેવા માટે ગુજરાતનાં બે જવાનોને પ્રેસિડેન્ટ મેડલ :