બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / 11 workers killed in stone quarry collapse in Mizoram

દુર્ઘટના / મિઝોરમમાં પથ્થરની ખાણ ધસી પડતા 11 શ્રમિકોના મોત, એક હજુ લાપતા, બચાવ કામગીરી યથાવત

Malay

Last Updated: 08:30 AM, 16 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દક્ષિણ મિઝોરમના હંથિયાલ જિલ્લામાં એક દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 11 શ્રમિકોના મોત થયા છે. એક શ્રમિક હજુ પણ લાપતા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. સોમવારે બપોરે ખનન દરમિયાન પથ્થરની ખાણ ધસી પડી હતી. જેમાં અનેક મજૂરો દટાયા હતા. હજુ પણ રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.

 

  • દક્ષિણ મિઝોરમમાં પથ્થરની ખાણ ધસી પડી
  • અત્યાર સુધીમાં 11 શ્રમિકોના મળ્યા મૃતદેહો
  • બચાવ કાર્ય હજુ પણ યથાવત

મિઝોરમના હંથિયાલ જિલ્લામાં સોમવારે એક પથ્થરની ખાણ ધસી પડી હતી. ખાણકામ દરમિયાન ઘણા મોટા-મોટા પથ્થરો ઉપરથી તૂટીને શ્રમિકો પર પડ્યા હતા, જેમાં 12 જેટલા શ્રમિકો કાટમાળ નીચે દટાયા હતા. આ દુર્ઘટનાની માહિતી મળ્યા બાદ આસામ રાઈફલ્સ અને બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) સ્થાનિક પોલીસ, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની ટીમે બચાવ કામગીરી શરૂ કરી હતી. મોડી રાત સુધીમાં ટીમે ખાણમાં દટાયેલા 11 શ્રમિકોના મૃતદેહ બહાર કાઢ્યા છે. જોકે, એક શ્રમિક હજુ પણ લાપતા છે. બચાવ કાર્ય હજુ પણ યથાવત છે.

મોટાભાગના શ્રમિકો બિહાર અને પશ્ચિમ બંગાળના રહેવાસી
પ્રાપ્ત વિગતો અનુસાર, 11માંથી 4 શ્રમિકો પશ્ચિમ બંગાળના નાદિયા અને ઉત્તર 24 પરગણાના રહેવાસી હતા. એક મજૂરના જણાવ્યા અનુસાર, પથ્થર પડ્યાના લગભગ ચાર કલાક બાદ બચાવ કાર્ય શરૂ થયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દુર્ઘટનાનો ભોગ બનેલા મોટાભાગના શ્રમિકો બિહાર અને પશ્ચિમ બંગાળના રહેવાસી હતા. પાંચ એક્સેવેટર, એક સ્ટોન ક્રશર અને એક ડ્રિલિંગ મશીન દટાયેલા છે.

અત્યાર સુધીમાં મળી આવ્યા કુલ 11 મૃતદેહો 
NIA અનુસાર, હંથિયાલના એડિશનલ ડેપ્યુટી કમિશનર સૈજિકપુઈએ મંગળવારે રાત્રે કહ્યું કે સર્ચ અને રેસ્ક્યૂ ટીમે મિઝોરમના હંથિયાલ જિલ્લાના મૌદ્રહ ગામમાં પથ્થરની ખાણના કાટમાળ નીચેથી વધુ ત્રણ મૃતદેહો બહાર કાઢ્યા છે. અત્યાર સુધીમાં કુલ 11 મૃતદેહો મળી આવ્યા છે. આ ખાણનો કોન્ટ્રાક્ટ ABCI ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઈવેટ લિમિટેડ પાસે છે અને છેલ્લા અઢી વર્ષથી અહીં ખનનની કામગીરી ચાલી રહી હતી. 

સોમવારે બપોરનો બનાવ
ખનન કામમાં લાગેલા શ્રમિકો બપોરે લગભગ 3 વાગ્યે ભોજન કરીને કામ પર પાછા ફર્યા હતા ત્યારે પથ્થરની ખાણ ધસી પડી હતી. જ્યારે આ દુર્ઘટના સર્જાઈ ત્યારે ખાણમાં ઘણા શ્રમિકો કામ કરી રહ્યા હતા. પથ્થરો પડવાને કારણે નીચે ઘણા શ્રમિકો અને મશીનો દટાઈ ગયા હતા.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ