રવિવારના રોજ મહારાષ્ટ્રના નાસિકમાં પત્નીથી ત્રાસી ગયેલા પતિઓ દ્વારા પોતાની જીવંત પત્નીઓનું પિંડદાન કરાવામાં આવ્યું છે.આ પિંડદાનનો ઉદ્દેશ્ય સમાજમાં પત્નીઓના દુઃખથી ત્રાસી ગયેલાં પતિઓની વાત હતી.
આ દરમિયાન વેદોના મંત્રોનું ઉચ્ચારણ પણ કરવામાં આવ્યું અને પૂજા અર્ચના કરી. ત્યારબાદ ગોદાવરી નદીમાં પિંડને અર્પણ કરવામાં આવ્યાં.
મીડિયા અહેવાલ અનુસાર આ સંપૂર્ણ કાર્યક્રમ એક સંસ્થા દ્વારા યોજવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે પિંડદાન કરનારા 100 પતિઓએ સરકાર દ્વારા એક પુરુષ કમિશન બનાવવાની પણ માંગ હાથ ધરી છે. તેઓ કહે છે કે આ પિંડદાન પતિ-પત્નીના સંબંધોમાં થતા ઝઘડા દૂર કરવા માટે છે.
હિન્દુ ધર્મમાં દિંવગત સંબંધોમાં પિંડદાન કરવું તે પરંપરા છે. સંસ્થાના અધ્યક્ષ દેશપાંડેએ કહ્યું કે ઘણી વાર પુરુષોની ભૂલ ન હોવા છતાં પણ જેલ જવું પડે છે. વિવાહિત પુરુષોની થતી હેરાનગતિને સામે લાવવા માટે જીવંત પત્નીઓનું પિંડદાન કરવામાં આવ્યું છે.