મુંબઇમાં સતત 24 કલાકમાં ભારે વરસાદને લઇને મલાડ વિસ્તારમાં દીવાલ ઢળતા 18 લોકોનાં મોત થઇ ગયા. જો કે, આ દુર્ઘટનામાં એક બાળકીને બચાવી લેવામાં આવી. એવું જણાવવામાં આવી રહેલ છે કે આ બાળકી દિવાલનાં કાટમાળ નીચે દબાઇ ગઇ હતી. તે ખુદને બચાવવા માટે સતત ચિલ્લાતી હતી જ્યાર બાદ બચાવદળનાં કર્મચારીઓએ તેનું રેસ્ક્યુ કરી લીધું. રેસ્ક્યુ ટીમે એક કર્મચારીએ જણાવ્યું કે, બાળકીની ઓળખ સંચિતા નાલાવડેનાં રૂપમાં થઇ છે.
મુંબઇમાં સતત 24 કલાકમાં ભારે વરસાદને લઇને મલાડ વિસ્તારમાં દીવાલ ઢળતા 18 લોકોનાં મોત થઇ ગયા. જો કે, આ દુર્ઘટનામાં એક બાળકીને બચાવી લેવામાં આવી. એવું જણાવવામાં આવી રહેલ છે કે આ બાળકી દિવાલનાં કાટમાળ નીચે દબાઇ ગઇ હતી. તે ખુદને બચાવવા માટે સતત ચિલ્લાતી હતી જ્યાર બાદ બચાવદળનાં કર્મચારીઓએ તેનું રેસ્ક્યુ કરી લીધું.
રેસ્ક્યુ ટીમે એક કર્મચારીએ જણાવ્યું કે, બાળકીની ઓળખ સંચિતા નાલાવડેનાં રૂપમાં થઇ છે. મલાડમાં રાત્રીનાં અંદાજે 2 કલાકે ઢળી ગયેલ દિવાલનાં કાટમાળમાં તે દટાઇ ગઇ હતી. ત્યાર બાદથી તેઓને સતત બચાવવા માટે જોરશોરથી બૂમો પાડતી હતી અને પાણી માંગી રહી હતી. એવામાં બચાવદળે ઢળેલી દિવાલનાં એક ભાગથી કાપીને બાળકીને નીકળવા માટે જગ્યા બનાવી દીધી.
સ્થાનીય નિવાસીઓએ જણાવ્યું કે, અનેક કલાક સુધી સતત વરસાદને લઇને માર્ગો પર પાણી ભરાઇ ગયા જેનાંથી દિવાલ પર દબાવ વધતો ગયો અને તે ઢળી ગઇ. દિવાલ ઢળ્યા બાદ તેની માલિકીને લઇને અંદરોઅંદર ચર્ચા થવા લાગી. કેટલાંક લોકોએ આને વનવિભાગનાં વિસ્તારને જણાવ્યું તો કેટલાંક લોકોએ બૃહદમુંબઇ નગર નિગમની દિવાલ ગણાવી રહ્યાં હતાં. એવામાં કેટલાંક લોકોએ દિવાલ પર માલિકીનો હક ઓટો કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો જણાવ્યો.
ઉલ્લેખનીય છે કે માયાનગરી મુંબઇમાં ભારે વરસાદનાં કારણે લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. સતત વરસી રહેલા વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયાં છે જ્યારે ટ્રાફિક જામના દ્રશ્યો નજરે પડી રહ્યાં છે. હવામાન વિભાગે આજે પણ ભારે વરસાદની સાથે દરિયામાં હાઇ ટાઇડની ચેતાવણી આપી છે.
મુંબઈમાં વરસાદે માઝા મૂકી છે, હજુ પણ વરસાદનું જોર યથાવત છે. મુંબઈમાં ભારે જળપ્રલય જેવી સ્થિતિ ઉભી થઈ છે. મૂશળધાર વરસાદ બાદ રાજ્ય સરકારે મુંબઈમાં તમામ સરકારી સ્કૂલો અને કોલેજોમાં રજા જાહેર કરી દીધી છે. આ ઉપરાંત હવામાન વિભાગે ચેતવણી પણ આપી છે કે મુંબઈમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદ પડી શકે છે.
જ્યારે અનેક વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ છે. પાલઘરમાં નાલાસોપારા રેલવે સ્ટેશન પણ પાણીમાં ગરકાવ થયુ છે. હવામાન વિભાગ પણ લોકોને કામ સિવાય ઘરની બહાર ના નીકળવા માટે અપીલ કરી રહ્યું છે. મુંબઈ એરપોર્ટ પણ વરસાદના પગલે સ્પાઈસ જેટની એક ફ્લાઈટ લપસી જવાની ઘટના સામે આવી છે.