બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / 1 Indian missing, 10 stuck in remote parts of Turkey, MEA says

કુદરતી આફત / તુર્કી ભૂકંપમાં ફસાયા 10 ભારતીયો, એક ગુમ, જાણો કેવી હાલતમાં છે, સરકારે આપ્યું મોટું અપડેટ

Hiralal

Last Updated: 09:36 PM, 8 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપના કારણે થયેલી તબાહીમાં 10 ભારતીયો ફસાયા છે અને તેમાંથી 1 ગુમ થયો છે તેવું કેન્દ્ર સરકારે જણાવ્યું છે.

  • તુર્કી ભૂકંપમાં ફસાયા  10 ભારતીયો
  • બિઝનેસ મીટિંગ માટે ગયેલા એક ભારતીય બન્યો લાપત્તા
  • બાકીના 9 સુરક્ષિત છે પરંતુ દૂરના વિસ્તારમાં ફસાયા છે 
  • તુર્કી-સીરિયામાં 11000થી વધુ લોકોના મોત 

તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપના કારણે થયેલી તબાહીમાં 11 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે કહ્યું છે કે તુર્કીના દૂરના વિસ્તારમાં 10 ભારતીયો પણ ફસાયેલા છે અને સુરક્ષિત છે પરંતુ એકની હજુ સુધી ભાળ મળી નથી. આ અંગે પરિવારને જાણ કરવામાં આવી છે.

વિદેશ મંત્રાલયના સચિવે આપી માહિતી 
બુધવારે  વિદેશ મંત્રાલયના સચિવ સંજય વર્માએ કહ્યું કે અમે આ સમગ્ર મામલાને લઈને તુર્કીના અદાનામાં એક કંટ્રોલ રૂમ બનાવ્યો છે. તેમણે કહ્યું કે એક ભારતીય જે ગુમ છે તે બિઝનેસ મીટિંગમાં ગયો હતો. અમે તેના પરિવાર અને કંપની સાથે સંપર્કમાં છીએ. સંજય વર્માએ કહ્યું કે તુર્કીમાં 1939 બાદ આ સૌથી મોટી કુદરતી આફત છે. અમને સહાય માટે તુર્કી તરફથી એક ઈમેઇલ મળ્યો છે અને દિલ્હીથી તુર્કી સુધીની પ્રથમ એસએઆર ફ્લાઇટ્સ મીટિંગના 12 કલાક પછી રવાના થઈ છે. આ પછી, આવી 4 ફ્લાઇટ્સ મોકલવામાં આવી હતી, જેમાંથી 2 એનડીઆરએફની ટીમો સાથે હતી અને 2 માં તબીબી ટીમો હતી. તબીબી પુરવઠો અને સાધનો સાથેનું એક વિમાન પણ સીરિયા મોકલવામાં આવ્યું હતું.

તુર્કી-સીરિયામાં ભૂકંપથી 11,000થી વધુ લોકોના મોત
સીરિયા અને તુર્કીમાં સોમવારે 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને ત્યારબાદ 7.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. બચાવ કાર્ય ચાલી રહ્યું છે પરંતુ હિમવર્ષાના કારણે ઘણી મુશ્કેલી પડી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ