અમેરિકાની સેન્ટર ફોર ડિસિઝ કન્ટ્રોલ એન્ડ પ્રીવેન્શને એવું જણાવ્યું કે કોરોના વાઈરસ જમીનની સપાટી પરથી ફેલાતો નથી.
અમેરિકી સંસ્થા સેન્ટર ફોર ડિસિઝ કન્ટ્રોલ એન્ડ પ્રીવેન્શનનું મહત્વનું સંશોધન
કોરોના જમીનની સપાટી પરથી ફેલાતો નથી
ડર રાખવાનું કોઈ કારણ નથી
દશ હજારમાંથી એક કેસમાં જ કોરોના જમીન પરથી ફેલાતો હોય છે.
અમેરિકી સંસ્થાએ જણાવ્યું કે જમીનની સપાટ પરથી કોરોના ફેલાવાનો ડર રાખવાની જરુર નથી. લગભગ દશ હજારમાંથી એક કેસમાં જ કોરોના જમીન પરથી ફેલાતો હોય છે.
જમીનની સપાટી પરથી તો કોરોનાનો ફેલાવો ભાગ્યે જ થાય છે.
સેન્ટર ફોર ડિસિઝ કન્ટ્રોલ એન્ડ પ્રીવેન્શના ડિરેક્ટર ડો.રોશેલ વેલેંસ્કીએ જણાવ્યું કે કોરોનાને ફેલાવવા પાછળનું મુખ્ય પરિબળ જમીન નથી. જમીનની સપાટી પરથી તો કોરોનાનો ફેલાવો ભાગ્યે જ થાય છે.
સાબુ અથવા ડિટરજન્ટ પાવડરથી સફાઈ કરવાથી કામ ચાલ્યું જાય છે
કોરોના સીધા સંપર્ક, ટીંપાઓ તથા હવામાંથી સીધો ફેલાય છે. તેથી અતિશય સફાઈની જરુર પડતી નથી. બસ એક વાર સાબુ અથવા ડિટરજન્ટ પાવડરથી જમીનની સપાટની સફાઈ કરવાથી કામ ચાલ્યું જાય છે અને વાઈરસના ફેલાવાનું જોખમ અત્યંત ઘટી જાય છે.અમેરિકી સંસ્થાના સ્ટડી અનુસાર, આંતરિક કરતા બાહ્ય રીતે જમીનની સપાટી પરથી કોરોનાના ફેલાવો થવાની ખૂબ ઓછી સંભાવના હોય છે. સંસ્થાએ જણાવ્યું કે અલગ અલગ સમયે છિદ્રાળુ અને બિન છિદ્રાળુ સપાટી પર કોરોના વાઈરસ જીવતો રહેવા જાણીતો છે. છિદ્રાળુ સપાટી પર તો ગણતરીની મિનિટોમાં કોરોનાની જાણકારી મળી શકે છે પરંતુ બિન છિદ્રાળુ જમીનની સપાટી પર વાઈરસ પકડમાં આવતા કલાકો લાગી શકે છે.
ઘરેલું ચીજવસ્તુઓ પર કોરોના 3 દિવસથી વધારે જીવતો નથી
ગ્લાસ, સ્ટીલ અથવા પ્લાસ્ટિક જેવી ઘરમાં રહેલી ચીજવસ્તુઓ પર કોરોના ત્રણ દિવસથી વધારે જીવતો નથી. એજન્સીએ વધુમાં જણાવ્યું કે આંતિરિક અને બાહ્ય એમ બન્ને જગ્યાએ નિયમિત રીતે સાફ-સફાઈ અને સેનિટાઈઝ કરવાનો કોઈ વૈજ્ઞાનિક આધાર મળતો નથી.
તો પછી સાફ સફાઈ અને સેનિટાઈઝ કેવી રીતે કરવું
અમેરિકી સંસ્થાએ એવો ખુલાસો કર્યો કે જ્યાં દર્દી કોરોના પોઝિટીવ આવ્યો હોય તે ઘરમાં 24 કલાકની અંદર સાફ-સફાઈ અને સેનિટાઈઝ કરી દેવાથી વાઈરસ મરી જાય છે અને ખતરો ટળી જાય છે. સામાન્ય રીતે સાબુ અને પાવડરની સફાઈ પર્યાપ્ત હોય છે. દિવસમાં ઓછામાં ઓછું એક વાર સાબુ અને પાવડરથી સાફ-સફાઈ કરવાથી વાઈરસનું જોખમ ઘણું બધું ઘટી જાય છે.