રાશિ અનુસાર આ વસ્તુઓ રાખો સાથે, થઈ જશો માલામાલ અને નસીબ પણ આપશે સાથ | keep these things with you according your horoscope so that you will never face money related problems
તમારા કામનું /
રાશિ અનુસાર આ વસ્તુઓ રાખો સાથે, થઈ જશો માલામાલ અને નસીબ પણ આપશે સાથ
Team VTV03:18 PM, 26 Jan 22
| Updated: 07:58 AM, 27 Jan 22
જ્યોતિષમાં બધી રાશીઓ માટેની કોઈને કોઈ વિશેષ વસ્તુને જો તમે પોતાની પાસે રાખો તો આર્થિક સમસ્યાઓ જ દૂર નથી થતી, પરંતુ જીવનમાં રૂપિયા પૈસાની પણ અછત રહેતી નથી.
દુનીયાનો દરેક માણસ સુખ-શાંતિ તથા પૈસા ઈચ્છે છે. જેના માટે તે ખૂજ જ મહેનત કરે છે. પરંતુ ક્યારેક મહેનત કરવા છતાં પણ સફળતા નથી મળી શકતી.દરેક ગ્રહ તથા રાશિ માટે એક વિશેષ બિંદુ હોય છે. આ જ બિંદુથી રાશિ તથા ગ્રહ નિયંત્રિત થાય છે. સાફ શબ્દોમાં સમજીએ તો આ બિંદુને એ રાશિનાં ભાગ્યની ચાવી કહેવામાં આવે છે. દરેક રાશિ માટે આ ચાવી કોઈને કોઈ વિશેષ વસ્તુ હોય છે, જેને જો તમે પોતાની પાસે રાખો છો તો આર્થિક સમસ્યાઓ જ દૂર નથી થતી, પરંતુ ક્યારેય જીવનમાં રૂપિયા પૈસાની અછત રહેતી નથી. જ્યોતિષાચાર્ય શૈલેન્દ્ર પાંડેય પાસેથી જાણીએ કે તમારી રાશિ અનુસાર કઈ વસ્તુ તમારા ભાગ્યની ચાવી છે.
મેષ (Aries): આ રાશિનાં જાતકોએ પોતાની પાસે તાંબાનો સૂર્ય રાખવો જોઈએ.
વૃષભ (Taurus): આ રાશિનાં જાતકોએ પોતાની પાસે સફેદ રંગનો શંખ રાખવો જોઈએ.
મિથુન (Taurus): આ રાશિનાં જાતકોએ પોતાની પાસે લીલાં રંગના ગણેશજીની મૂર્તિ રાખવી જોઈએ.
કર્ક(Cancer): આ રાશિનાં જાતકોએ પોતાની પાસે સફેદ રંગનો ક્રિસ્ટલ બોલ રાખવો જોઈએ.
સિંહ (Leo): આ રાશિનાં જાતકોએ પોતાની પાસે લાલ કપડામાં તાંબાનાં સિક્કા બાંધીને રાખવા જેથી નિશ્ચિત લાભ થશે.
કન્યા (Virgo): આ રાશિનાં જાતકોએ પોતાની પાસે કાંસાની મૂર્તિ રાખવી જોઈએ, એ જેની પણ હશે, ફળ તો શુભ જ મળશે.
તુલા(Libra): આ રાશિનાં જાતકોએ પોતાની પાસે શ્રીયંત્ર રાખવું જોઈએ.
વૃશ્ચિત(Scorpio): આ રાશિનાં જાતકોએ પોતાની પાસે નાનો કે મોટો તાંબાનો લોટો અથવા કળશ રાખવો જોઈએ.
ધનુ(Sagittarius): આ રાશિનાં જાતકોએ પોતાની પાસે પીતળના સિક્કાઓ રાખવા જોઈએ. આ સિક્કાઓની સંખ્યા એક કે બે પણ હોઈ શકે છે.
મકર (Capricorn): આ રાશિનાં જાતકોએ પોતાની પાસે ઘોડાની નાળ રાખવી જોઈએ.
કુંભ (Aquarius): આ રાશિનાં જાતકોએ પોતાની પાસે સુગંધિત અથવા લાકડીની બનેલી અગરબત્તી રાખવી જોઈએ.
મીન(Pisces): આ રાશિનાં જાતકોએ પોતાની પાસે કાચનાં પાત્રમાં થોડું ગંગાજળ ભરીને રાખવું જોઈએ.
શું સાવધાનીઓ રાખવી?
1. આ વસ્તુઓને પોતાના કાર્યસ્થળ અથવા પૂજાસ્થળ પર રાખવી જોઈએ.
2. આ વસ્તુઓનાં પ્રયોગ પહેલાં તેને ગંગાજળથી શુદ્ધ કરવી જોઈએ.
૩. આ વસોની સાફ સફાઈ પર વિશેષ ધ્યાન આપો, તેમના પર ધૂળ કે ગંદકી ન જામવી જોઈએ.
4. આ વસ્તુઓનું સ્થાન વારંવાર બદલવું નહિ.
5. ભાગ્ય સુધારવાવાળી આ વસ્તુઓને એક થી બે વર્ષ પોતાની પાસે રાખો, ત્યાર બાદ તેને બદલી દો.