સ્ટેચ્યુ ઓફ યૂનિટી અને સરરદાર સરોવર ડેમ ઉપરાંત નર્મદા જિલ્લામાં વધુ એક જગ્યા છે જે પ્રાખ્યાત નથી પરંતુ ખૂબ જ સુંદર છે અને આટલું જ નહીં સરદાર સરોવર ડેમથી તે માત્ર 28 કિમીના અંતરે જ આવેલું છે. અને આ ધોધ અમદાવાદથી માત્ર 203 કિમીના અંતરે જ આવેલો છે. જી હાં... અમે વાત કરી રહ્યા છીએ 'ઝરવાણી ધોધ'ની.
ચોમાસામાં ચાર ચાંદ લગી જાય છે
ઝરવાણી ધોધ ખૂબ જ સુંદર અને આકર્ષક જગ્યા તો છે જ પરંતુ ચોમાસાની સીઝનમાં આ જગ્યાને ચાર ચાંદ લાગી જાય છે. તેની આસપાસ ગાઢ જંગલો આવેલા છે. જેના કારણે અહીં ચોમાસામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે. આ ધોધ ઘણી ઉંચાઈએ આવેલો હોવાથી પાણીના વહેણ નીચે પડે છે ત્યારે સિંહની જેમ ગર્જના કરી રહ્યા હોય તેવો અવાજ આવે છે.
રજાઓમાં અહીં ભારે ભીડ હોય છે
ચોમાસામાં દૂર દૂરથી લોકો આ ધોધને જોવા આવે છે અને તેમાં કલાકોના કલાકો નહાય છે. અહીં ધોધની નીચે પાણી ફક્ત કમસ સુધીનું જ છે જેના કારણે ડૂબી જવાનો ખતરો નથી. ચોમાસાની સીઝનમાં અને રજાઓમાં અહીં ભારે ભીડ જોવા મળે છે.