કોરોનાવાયરસને કારણે ક્રિકેટ જગત થંભી ગયું છે. જેથી હવે બધાં ક્રિકેટરો સોશિયલ મીડિયાની મદદથી તેમના ફેન્સસાથે કનેક્ટ થઈ રહ્યા છે. હાલમાં જ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માએ એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તે કોહલીને ચોગ્ગો લગાવવાનું કહે છે. અનુષ્કાનો આ વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થયો છે. જોકે, હવે ટીમ ઈન્ડિયાના સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલે પણ અનુષ્કા શર્મા પાસેથી આવી માંગ કરી છે.
કોરોનાને કારણે ક્રિકેટ જગત હાલ થંભી ગયું છે
ક્રિકેટરો સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે કનેક્ટ થઈ રહ્યાં છે
ત્યારે યુઝવેન્દ્રએ ભાભી અનુષ્કા પાસેથી આવી માંગ કરી
હકીકતમાં કોહલી સહિત બધાં જ ક્રિકેટરો મેદાન પર વાપસી કરવાની રાહ જોઈ રહ્યાં છે. ત્યારે અનુષ્કાએ ગઈકાલે જ એક વીડિયો પોસ્ટ કર્યો જે તે કોહલીને કહે છે, કોહલી કયા કર રહા હૈ, ચોગ્ગા મારના. હવે અનુષ્કાના આ વીડિયો પર યુઝવેન્દ્રએ મજેદાર કમેન્ટ કરી છે.
યુઝવેન્દ્ર ચહલે અનુષ્કા શર્માના વીડિયો પર કમેન્ટ કરી કે, ભાભી પ્લીઝ આગામી વખત કહેજો કે ચહલને ઓપનિંગ કરાય ને, ચહલ કો. આશા છે કે, તમારી વાત માની લેશે. યુઝવેન્દ્ર ચહલની આ કમેન્ટ સોશિયલ મીડિયામાં ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. ચહલ સોશિયલ મીડિયા પર તેના રમૂજી અંદાજ માટે જાણીતા છે.
આ રીતે લોકડાઉનના સમયમાં ક્રિકેટરો અને ફેન્સ એકબીજા સાથે કનેક્ટ રહી રહ્યાં છે. હાલ કોરોનાને કારણે ભારતમાં 500થી વધુ લોકોના મોત નીપજી ચૂક્યા છે. જ્યારે 14 હજારથી વધુ લોકો સંક્રમિત છે. હાલ દેશમાં 3 મે સુધી લોકડાઉન લંબાવી દેવામાં આવ્યું છે. જે બાદ હવે આઈપીએલ પણ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવ્યું છે.