ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના સંન્યાસ લેનાર પૂર્વ ભારતીય સ્ટાર ક્રિકેટર યુવરાજ સિંહની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે, કારણમ કે હાલમાં જ તેણે પાકિસ્તાનના ક્રિકેટર શાહિદ અફરીદીના ફાઉન્ડેશન માટે આર્થિક મદદની અપીલ કરી હતી. જેના માટે યુવરાજને ખૂબ ટ્રોલ પણ કરવામાં આવ્યો હતો. જોકે, પછી આ અંગે યુવરાજે ખુલાસો પણ કર્યો હતો અને હવે તેણે એવું કામ કર્યું છે જેનાથી ટ્રોલર્સની બોલતી બંધ થઈ ગઈ છે.
કોરોનાના કેસ ભારતમાં સતત વધતા જઈ રહ્યા છે
કોરોના સામેની જંગમાં ક્રિકેટર્સ દિલ ખોલીને દાન કરી રહ્યાં
હવે આ લિસ્ટમાં યુવરાજ સિંહનું નામ જોડાયું
We are stronger when we stand united.
I will be lighting a candle tonight at 9pm for 9 minutes. Are you with me?
હકીકતમાં ટીમ ઈન્ડિયાના 2 વર્લ્ડ કપમાં ચેન્પિયન બનનાર યુવરાજ સિંહે કોરોના વાયરસ સામેની જંગ માટે પીએમ રિલીફ ફંડમાં 50 લાખ રૂપિયાનું દાન કર્યું છે. યુવરાજે ટ્વિટ કરીને પોતે આ જાહેરાત કરી છે. તેણે 5 એપ્રિલ સાંજે એક ટ્વિટ કર્યું અને લખ્યું- આપણે બધાં જ્યારે એકજૂટ હોઈએ છીએ ત્યારે વધુ મજબૂત હોઈએ છીએ. હું આજે રાતે 9 મિનિટ માટે 9 વાગ્યે દીવો પ્રગટાવીશ. શું તમે મારી સાથે છો. એકજૂટતાના આ મહાન દિવસે હું પીએમ રિલીફ ફંડમાં 50 લાખ રૂપિયા દાન આપું છે. તમે પણ મદદ માટે આગળ આવો.
ત્યારબાદ યુવરાજે 9 વાગ્યે 9 મિનિટ માટે તેના ઘરમાં દીવા પ્રગટાવ્યા. તેણે સોશિયલ મીડિયા પર તેની તસવીર પણ પોસ્ટ કરી. જેમાં તે પત્ની હેઝલ કીચ અને માતા શબનમ સિંહ સાથે જોવા મળ્યો હતો. આ તસવીરોના કેપ્શનમાં તેણે લખ્યું-કોરોના સામેની જંગમાં અમે બધાં એકજૂટ છે. જય હિંદ.