આજે અમે તમને તમારી એવી ભૂલો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી ફોન ડેમેજ થઈ શકે છે. આટલું જ નહીં તેનાથી સ્માર્ટફોન બોમની જેમ ફાટી પણ શકે છે.
સ્માર્ટફોન ચાર્જ કરતા ન કરો આવી ભૂલ
સ્માર્ટફોન થઈ શકે છે ડેમેજ
આટલી વાતોનું રાખો ખાસ ધ્યાન
સ્માર્ટફોન આપણી લાઈફનો મહત્વનો ભાગ બની ચુક્યો છે. પરંતુ તેનાથી ઘણી દુર્ઘટનાઓ પણ થાય છે. ખાસ કરી બેટરીના કારણે. યોગ્ય રીતે ચાર્જ ન કરવા પર ફોન બ્લાસ્ટ અથવા ખરાબ થઈ શકે છે.
મોટાભાગે લોકો રાત્રે ચાર્જ કરતી વખતે ફોનનો ઉપયોગ કરે છે અને ઉંઘ આવવા પર ફોનને ચાર્જિંગ પર જ મુકી રાખે છે. જેથી સવાર સુધી ફોન ફુલ ચાર્જ મળે. પરંતુ તેનાથી દુર્ઘટના પણ થઈ શકે છે. આજે અમે તમને એ રીતો વિશે જણાવવા જઈ રહ્યા છે જે ફોન ડેમેજ કરી શકે છે.
આખી રાત ચાર્જમાં ન મુકો ફોન
જો તમે પણ આખી રાત સ્માર્ટફોનને ચાર્જ કરો છો તો થોડુ સાવધાન રહેવાની જરૂર છે. કારણ કે તે તમારા મોબાઈલની બેટરી ખરાબ કરી શકે છે. ઘણા કેસ એવા પણ આવ્યા છે જ્યાં બ્લાસ્ટની ખબર સામે આવી છે.
લોકલ ચાર્જર
માર્કેટમાં ઘણા પ્રકારના લોકલ ચાર્જર આવે છે. ઓરિજનલ ચાર્જર ગુમ અથવા ખરાબ થયા બાદ લોકો લોકલ ચાર્જર ખરીદી લે છે. લોકલ ચાર્જરથી ફોન વધારે સમય સુધી ચાર્જ થાય છે અને બેટરી પણ ગરમ કરી દે છે. તેનાથી બેટરી પણ જલ્દી ખરાબ થઈ જાય છે.
ફોનની કેપેસિટીની કરો ચેક
ઘણી કંપનીઓ સ્માર્ટફોનની સાથે બોક્સમાં ચાર્જર નથી આપતી. એવામાં નવો ફોન ખરીદનારને એ જોવાનું રહેશે કે કેપેસિટી કેટલી છે. તેના હિસાબથી ચાર્જર ખરીદો.
જો તમે એવું નહીં કરો તો સ્માર્ટફોનની બેટરી પર દબાણ પડી શકે છે અને પ્રોસેસિંગ સ્પીડ પણ ઓછી થઈ શકે છે. ભૂલથી પણ તમારે એવી ભૂલ ન કરવી જોઈએ હંમેશા સ્માર્ટફોનની કેપેસિટી વાળું જ ચાર્જર ખરીદો.
ક્યારે કરશો ફોનને ચાર્જ?
ફોનને વારંવાર ચાર્જ કરવાથી બેટરી પર દબાણ પડે છે. માટે ધ્યાન રાખો કે જ્યારે ફોનની બેટરી 20 ટકા અથવા તેનાથી ઓછી હોય ત્યારે જ તેને ચાર્જ પર લગાવો. આમ કરવાથી બેટરી પર વધારે દબાણ નહીં પડે અને બેટરી વધારે ખરાબ નહીં થાય.