કૉન્ફિડ્રેશન ઓફ એટીએમ ઇન્ડસ્ટ્રી (CATMi)એ ગયા વર્ષે ચેતવણી આપી હતી કે વર્ષ 2019માં ભારતનાં અડધાંથી પણ વધારે એટીએમ બંધ થઇ જશે. સીએટીએમઆઇની ચેતવણી અનુસાર, દેશમાં અંદાજે બે લાખ 38 હજાર એટીએમ છે કે જેમાં અંદાજે એક લાખ 13 હજાર એટીએમ માર્ચ 2019 સુધી બંધ થવાના હતાં.
આવું એટલાં માટે કેમ કે એટીએમનાં મેંટેનેંસ કૉસ્ટ ખૂબ વધારે છે, જે ગ્રાહકો દ્વારા કરવામાં આવી રહેલ ટ્રાન્ઝેક્શનથી નથી નીકળી શકતાં. જેથી હવે ગ્રાહકો માટે ખૂબ મોટી મુશ્કેલી ઉભી થઇ શકે છે. કેમ કે આ કોસ્ટ ગ્રાહકો દ્વારા જ વસૂલી શકાય છે. તો આવો જાણીએ કે એટીએમનાં ઉપયોગ માટે આખરે હવે આપે કેટલાં રૂપિયા ચુકવવા પડી શકે તેમ છે.
આટલો થશે ATM ચાર્જમાં વધારોઃ
લાઇવમિંટનાં એક રિપોર્ટનું માનીએ તો ભારતમાં એટીએમ બંધ નહીં થાય પરંતુ એટીએમ ઉપયોગ કરવાનો ચાર્જ વધી જશે. એટલે કે ગ્રાહકોને એટીએમ ઉપયોગ કરવા માટે પહેલેથી જ હવે વધારે પૈસા ચુકવવા પડશે. રિપોર્ટ અનુસાર, જો એટીએમનો ચાર્જ વધે છે તો આપે 10થી 15 ટકા રૂપિયા વધુ ચૂકવવા પડી શકે છે.
આ સંદર્ભમાં એશિયા પૈસેફિક યૂરોનેટ સર્વિસ ભારતનાં એમડી હિમાંશુ પુજારાએ કહ્યું કે, 'પહેલાં એટીએમનાં વધતા ભાવ કોઇ બેંક ઉઠાવવા તૈયાર ન હોતાં. પરંતુ હવે આનાં પર તેઓએ વિચાર કરવાનો શરૂ કરી દીધો છે. એનપીસીઆઇએ મિનિસ્ટ્રીથી એટીએમનાં ભાવને ઘટાડવાની વાત કરી છે અને સલાહ પણ માંગી છે.'