જો તમે રાતની શિફટમાં કામ કરતા હોવ તો આ આદત ડીએનએ માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે. ઊંઘ પૂરી નહીં થવાથી રાતની શિફટમાં કર્મચારીઓની બેઝલાઇનમાં રહેલા ડીએનએ જીન્સનાં પુનઃ નિર્માણની ક્ષમતા ખૂબ જ ઘટી જાય છે. એનેસ્થેસિયા એકેડેમી જર્નલના રિપોર્ટમાં દાવો કરાયો છે કે રાતે જાગવાની ડાયાબિટીસ કાર્ડિયોવેસ્કયુલર અને ન્યૂરોલોજીકલ બીમારીઓ થવાનો ખતરો વધી જાય છે.
રિપોર્ટમાં કહેવાયું છે કે જે લોકો રાત્રે જાગીને કામ કરે છે તેમના ડીએનએ ખરાબ થવાની ગતિ રાત્રે પૂરતી ઊંઘ લેનાર લોકોથી ૩૦ ટકા વધુ છે.
રાત્રે જાગ્યા બાદ પણ પર્યાપ્ત ઊંઘ ન લેવામાં આવે તો ડીએનએ ખરાબ થવાની ગતિ રપ ટકા વધી જાય છે. યુનિવર્સિટી ઓફ હોંગકોંગની રિસર્ચ એસોસીએટ એસડબ્લ્યુ ચોઇનું કહેવું છે કે ડીએનએ ખરાબ થવાનો અર્થ છે તેના મૂળ ઢાંચામાં બદલાવ થવો. ડીએનએનું પરિવર્તન થતાં પણ તેના પુનઃ નિર્માણની પ્રક્રિયા શરૂ થઇ શકતી નથી. ડીએનએમાં બેવડી ખરાબી આવે તો તેની અસર શરીરનાં તમામ જીન્સ પર પડવા લાગે છે. તેની કોશિકાઓ હંમેશાં માટે મૃત પણ થઇ શકે છે. જીન્સનું પુનઃનિર્માણ ન થાય તો શરીરમાં ઓન્કોજેનિક બદલાવ આવવા શરૂ થઇ જાય છે. તેનાથી કેન્સરનો ખતરો પણ વધે છે. રિપોર્ટમાં દાવો કરાયો છે કે ડીએનએમાં ખરાબીની તપાસ માટે જે સ્વસ્થ ડોકટરોનાં બ્લડ સેમ્પલ લેવાયાં છે તેમની ઉંમર ર૮થી ૩૩ની વચ્ચે હતી.
ત્રણ રાત સુધી જાગનારા આ ડોકટરોનાં લોહીના નમૂનાની તપાસ કરાઇ. તેમના ડીએનએમાં ખરાબી જોવા મળી. ચોઇનું કહેવું છે કે ડીએનએ ખરાબ થવાથી ક્રોનિક બીમારીઓ લોકોને પોતાની ઝપટમાં લઇ લે છે. તેની પર વધુ સંશોધન થવાં જોઇએ. ખરાબ થયેલા ડીએનએને ઠીક કરવાનો ઉપચાર પણ શોધાવો જોઇએ.