ઉત્તરપ્રદેશના હાથરસ દુષ્કર્મ કેસની તપાસ એસઆઈટી દ્વારા કરવામાં આવી રહી છે. આ કેસમાં તપાસ એજન્સી આરોપી અને પીડિત પરિવારનો નાર્કો ટેસ્ટ કરાવશે.
પોલીસ, પરિવાર અને આરોપીના પોલીગ્રાફ અને નાર્કો ટેસ્ટ પણ કરવામાં આવશે
હાથરસના SP, CO અને ઈન્સ્પેક્ટરને કરાયા છે સસ્પેન્ડ
તપાસને સાઈન્ટિફિક રીતે કરવા માટે કરાશે નાર્કો ટેસ્ટ
આ કેસમાં એસઆઈટી તપાસ કરી રહી છે. એસઆઈટી ઉપરાંત પ્રમુખ સ્તર પર એવો આદેશ કરવામાં આવ્યો છે કે તપાસને સાઈન્ટિફિક રીતે કરવામાં આવે. એટલે કે જે નજરે જોનારા છે તેમના નિવેદનો ઉપરાંત તેમના નાર્કો અથવા પોલીગ્રાફ ટેસ્ટ કરાવીને નિવેદનોની હકિકતની ખરાઈ કરવામાં આવે. એસઆઈટીએ આ રેકમન્ડેશન સરકારને કર્યુ છે. જેના આધાર પર ઘટના સાથે જોડાયેલા તમામ લોકોના નાર્કો ટેસ્ટ તથા પોલીગ્રાફી ટેસ્ટ કરવામાં આવશે.
સરકારના સૂત્રોના જણાવ્યાનુંસાર આ મામલામાં અનેક વીડિયો અને તથ્યો સામે આવ્યા છે. એટલા માટે તમામ પુરાવાને લઈને સાઈન્ટિફિક તપાસ જરુરી છે. એટલા માટે સરકાર આરોપીઓ સહિત પરિવારના સભ્યોનો તથા પોલીસ ટીમના તમામ કર્મચારીઓનો નાર્કો અને પોલીગ્રાફ ટેસ્ટ કરાવવાના આદેશ આપ્યા છે. હાથરસના SP, CO અને ઈન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરાયા છે. તેમજ હાઈકોર્ટે આ કેસમાં એસપીને સમન્સ મોકલ્યું છે જ્યારે રાજ્ય સરકારને નોટિસ પાઠવી છે. ઉલ્લેખનીય છે કે આ કેસથી રાજકારણ પણ ગરમાયું છે.
શું હોય છે પોલિગ્રાફ ટેસ્ટ?
જુઠ્ઠાણુ પકડવા માટે પોલિગ્રાફ ટેસ્ટ એક ટેકનોલોજી છે
કેસ સંબંધિત શખ્સની પૂછપરછ કરવામાં આવે છે અને તે જવાબ આપે છે
આ સમયે વિશેષ મશીનની સ્ક્રીન પર એક ગ્રાફ બને છે
વ્યક્તિના શ્વાસ, હૃદયની ગતિ, બ્લડ પ્રેશરમાં ફેરફાર મુજબ ગ્રાફ બને છે
ગ્રાફમાં અચાનક ફેરફાર થાય તો એનો મતલબ કે વ્યક્તિ ખોટુ બોલી રહ્યો છે
આ ટેસ્ટમાં શરૂઆતમાં સામાન્ય પ્રશ્ન પૂછવામાં આવે છે
નામ, પિતાનું નામ, ઉંમર, સરનામું, પરિવાર સાથે જોડાયેલી જાણકારી પૂછાય છે
બાદમાં અછાનક સંબંધિત ગુના અંગે સવાલો કરવામાં આવે છે
અચાનક ક્રાઈમ સાથે જોડાયેલા સવાલ પર શખ્સના ધબકારા, શ્વાસ વધી જાય છે
ગ્રાફમાં ફેરફાર થાય તો એનો મતલબ વ્યક્તિ ખોટું બોલે છે
શું છે નાર્કો ટેસ્ટ?
નાર્કો ટેસ્ટ પણ ખોટુ પકડવાની એક ટેકનોલોજી છે
સંબંધિત શખ્સને દવા કે ઈન્જેક્શન આપવામાં આવે છે
ટ્રૂથ ડ્રગ નામની એક સાઈકોએક્ટિવ દવા આપવામાં આવે છે
સોડિયમ પેંટોથોલનું ઈન્જેક્શન પણ આપવામાં આવે છે
દવાની અસર થતા શખ્સ અર્ધબેહોશ થઈ જાય છે
આ સ્થિતિમાં વ્યક્તિ સવાલોના સાચા જવાબ આપે છે
અર્ધબેહોશીના કારણે વ્યક્તિ ખોટુ બોલવામાં નિષ્ફળ રહે છે