લખનૌઃ વર્ષ 2017માં સહારનપુરમાં કોમી રમખાણ ફેલાવવાના આરોપમાં રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ જેલમાં કેદ ભીમ આર્મીના સંસ્થાપક ચંદ્રશેખર આઝાદ 'રાવણ'ને રાજ્યની યોગી સરકાર સમય પહેલા મૂક્ત કરવાનો નિર્ણય કર્યો છે.
રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ એક પ્રેસનોટમાં કહેવામાં આવ્યું છે કે રાવણની મા ના આવેદન પર સહાનુભૂતિપૂર્વક વિચાર કરતા તેમને સમય પહેલા મૂક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જણાવી દઇએ કે રાવણે 1 નવેમ્બર 2018 સુધી જેલમાં રહેવાનો હતો પરંતુ હવે તેમને ટુંક સમયમાં છોડી મુકવામાં આવશે. રાવણ સિવાય બે અન્ય આરોપીઓ સોનૂ પુત્ર નાથીરામ અને શિવકુમાર પુત્ર રામદાસને પણ સરકારે મૂક્ત કરવાનો નિર્ણય લીધો છે.
જણાવી દઇએ કે ગત વર્ષ સહારનપુરમાં દલિતો અને ઠાકોરો વચ્ચે થયેલ જાતીય હિંસાને લઇને લગભગ એક મહિના સુધી જિલ્લામાં તણાવ રહ્યો હતો. ભીમ આર્મીના સંસ્થાપક ચંદ્રશેખરે હિંસાનો મુખ્ય આરોપી માનતા ધરપકડ કરી તેની વિરૂદ્ધ કેટલાક કેસ દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારબાદ ડીએમ સહારનપુરના રિપોર્ટ પર ચંદ્રશેખર વિરૂદ્ધ રા.સુ.કા. લગાવી દીધો હતો. જેને લઇને ભીમ આર્મીનો વિરોધ થયો હતો. સાથે જ રાવણની મુક્ત કરવાની માગને લઇને લખનૌથી દિલ્હી સુધી પ્રદર્શન થઇ રહ્યા હતા.