ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે પીડિતાના પરિવારજાણો સાથે વાતચીત કરી હતી, આ દરમિયાન પીડિતાના પિતાએ મુખ્યમંત્રી યોગી પાસે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. મુખ્યમંત્રી એ પિતા સાથે વાત કરતાં અપરાધીઓ સામે કડક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું હતું અને વહીવટીતંત્રને તમામ શક્ય મદદ કરવા નિર્દેશ આપ્યો હતો.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પીડિતાના પરિવાર સાથે વાતચીત કરી હતી
પીડિતાના પરિવારને શક્ય તમામ મદદ અને સહાયતાની ખાતરી પણ આપી
પીડિતાના પિતાએ મુખ્યમંત્રી પાસે કડક કાર્યવાહીની માંગણી કરી હતી
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ એ હાથરસ ગેંગરેપ પીડિત પરિવાર સાથે વાત કરી છે. CM યોગી એ વીડિયો કોલ દ્વારા પીડિત પરિવાર સાથે વાત કરી. પીડિતાના પિતાએ CM યોગી પાસે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. CM યોગી એ ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી અને વહીવટી તંત્રને તમામ શક્ય મદદ કરવા નિર્દેશ આપ્યો.
CM યોગી એ પીડિતાના પરિવાર સાથે કરી વાતચીત, મદદની ખાતરી આપી
મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ એ હાથરસ ગેંગરેપ પીડિતાના પરિવારને 25 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી. CM યોગી એ કહ્યું કે પરિવારના એક સભ્યને નોકરી આપવામાં આવશે. સરકાર પરિવારને ઘર પણ ફાળવશે.
આ દરમિયાન હાથરસ કેસમાં તપાસ માટે SIT ની રચના કરવામાં આવી છે. CM યોગી ના આદેશ બાદ ગૃહ સચિવ ભગવાન સ્વરૂપની અધ્યક્ષતાવાળી ત્રણ સભ્યોની એસઆઈટી ટીમ આ કેસની તપાસ કરશે. એસઆઈટીમાં દલિત અને મહિલા અધિકારીઓ પણ શામેલ છે.
ગૃહ સચિવ ભગવાન સ્વરૂપ, ડીઆઈજી ચંદ્ર પ્રકાશ અને કમાન્ડન્ટ પીએસી આગ્રા પૂનમ SIT ના સભ્યો હશે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ એ પણ સમગ્ર મામલાને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં લાવવા સૂચના આપી છે.
હાલમાં ચારે આરોપીઓ પોલીસ ની કસ્ટડીમાં છે
આ કેસમાં ચારેય આરોપી પોલીસ કસ્ટડીમાં છે. નોંધપાત્ર વાત એ છે કે હાથરસ જિલ્લાના ચાંદપા પોલીસ સ્ટેશનમાં 14 સપ્ટેમ્બરના રોજ દલિત યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ ની ઘટના સામે આવી હતી. પરિવારે આરોપ લગાવ્યો છે કે સવારે સાડા નવ વાગ્યાની આસપાસ ચાર ગુંડાઓએ યુવતી પર દુષ્કર્મ કર્યો હતો અને તેની પર અત્યાચાર ગુજાર્યો હતો.
શરૂઆતમાં, પીડિતાની અલીગઢ હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી. બાદમાં તેમને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં રિફર કરાયા હતા.
પોલીસે કરી નાંખ્યા યુવતીના અંતિમ સંસ્કાર, લોકોમાં રોષ
મંગળવારે સફદરજંગ હોસ્પિટલમાં પીડિતાના મોત બાદ પોલીસ મૃતદેહ સાથે હાથરસ પહોંચી હતી. તે સમયે રાત્રિના12:45 વાગ્યે એમ્બ્યુલન્સ આવતાની સાથે જ લોકોએ વિરોધ શરૂ કર્યો. રોષે ભરાયેલા ગામલોકો રસ્તા પર ઘેરાઈ વળ્યા હતા.
યુવતીના અંતિમ સંસ્કાર માટે એસપી-ડીએમ યુવતીના લાચાર પિતા સમજાવી રહ્યા હતા, જો કે પરિવારનું કહેવું છે કે તેમણે પીડિતાના શબને તેમના ઘરે લઈ જવા દેવ માટે વિનવણીઓ કરી હતી પરંતુ પોલીસ તેમના પરિવારને બંધક બનાવી યુવતીનો દાહ સંસ્કાર કરી નાખ્યો હતો. આ મામલે જો કે પોલીસ આનાથી ઊલટ નિવેદન આપ્યું છે કે પીડિતા નું મૃતદેહ કોહવાવા લાગ્યું હતું, એટલે અગ્નિસંસ્કાર કરી નંખાયાં હતા.