સરકારે પ્રાઇવેટ સેક્ટરની યસ બેન્ક (Yes Bank) ના પુનર્ગઠન (Reconstruction Scheme) ની સૂચના જારી કરી દેવાઇ છે. આ અનુસાર યસ બેન્કના શૅર હોલ્ડર્સ 3 વર્ષ સુધી પોતાના શૅર વેચી શકશે નહીં. જ્યારે કોરોના વાયરસના સંક્રમણ વધવાના ડર સાથે ભારતીય બજારોમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો. જોકે, યસ બેન્કના શૅરમાં 50 ટકા સુધીનો ઉછાળ જોવા મળી રહ્યો છે.
લૉક ઇનમાં રોકાણ કરવામાં આવેલી રાશિને એક મર્યાદિત સમયગાળા માટે બ્લોક કરી દેવાય છે
જો યસ બેન્કના 100થી વધારે શૅર ખરીદ્યા છે તો તેમાંથી 75 ટકા શૅર્સને 3 વર્ષ માટે લૉક ઇન કરી દેવાશે
પુનર્ગઠનમાં એ શરત રાખવામાં આવી છે કે જો તમે યસ બેન્કના 100થી વધારે શૅર ખરીદ્યા છે તો તેમાંથી 75 ટકા ભાગીદારીને 3 વર્ષ માટે લૉક ઇન કરી દેવામાં આવશે, એટલે કે 3 વર્ષ સુધી તમે આ શૅર વેચી શકશો નહીં.
જોકે, કોઇ રોકાણકાર (Investor) પાસે 100થી ઓછા શૅર છે તો પોતાના પૂર્ણ શૅર વેચી શકશે. ભારતના કોર્પોરેટ ઇતિહાસમાં પહેલીવાર આમ પગલુ લેવાયું છે. તેના પગલે 16.18 લાખ શૅર હોલ્ડર્સને નુકશાન ઉઠાવવું પડી શકે છે. તેમાંથી ઘણા લોકો એવા છે જેમની પાસે 100થી વધારે શૅર હોલ્ડર હોઇ શકે છે.
વર્ષ 2018માં જ્યારે યસ બેન્ક પોતાના પીક પર હતી ત્યારે બેન્કના 100 શૅરની કિંમત 39,320 રૂપિયા હતી. રિટેલ શૅર હોલ્ડરનો અર્થ એ થયો કે એવા લોકો જેમની પાસે 2 લાખ રૂપિયાના શૅર્સ હશે. યસ બેન્કમાં 43.66 ટકા શૅર હોલ્ડર રિટેલમાં આવે છે. 2 લાખ રૂપિયાથી વધારેના શૅર રાખનાર શેર હોલ્ડર્સ 4.30 ટકા હશે.
યસ બેન્ક નિફ્ટી 50 ઇન્ડેક્સ અને બેન્ક ઇન્ડેક્સનો ભાગ છે. એવામાં જો આ એકમો 3 વર્ષ માટે લૉક થઇ જાય છે તો બેન્ક પોતાના નિયમોને તેના પર ચલાવતી નથી. બીજી તરફ જાણકારોનું માનવું છે કે જો કોઇએ ડાયરેક્ટ યસ બેન્કમાં ઇનવેસ્ટ કરી રાખ્યું છે અથવા તો તેમના પોર્ટફોલિયોમાં યસ બેન્ક છે તો અસેટ બેલેન્સિંગ માટે અન્ય બેન્કિંગ શૅર્સને વેચવાની જરૂર પડી શકે છે. ત્યારે Futures and Options (F&O) સેગમેન્ટ દ્વારા રોકાણકારોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
જાણો શું છે લૉક ઇન?
લૉક ઇન એ સમયગાળો છે જે દરમિયાન રોકાણકાર કોઇ સંપત્તિ વેચી શકતો નથી. માની લો કે, આપની પાસે યસ બેન્કના 100 શૅર છે તો રેટ વધવા કે ઘટવા પર આપ માત્ર 25 શૅર જ વેચી શકશો. 75 શૅર્સને આવનારા 3 વર્ષ સુધી વેચી શકશો નહીં. લૉક ઇનમાં રોકાણ કરવામાં આવેલી રાશિને એક મર્યાદિત સમયગાળા માટે બ્લોક કરી દેવામાં આવે છે.
ક્યારે લગાવવામાં આવે છે લૉક ઇન ?
સામાન્યપણે કંપનીઓ રોકાણકારોને પોતાની સાથે લાંબા સમય સુધી જોડી રાખવા અને પૈસાનું આયોજન કરવા માટે તેની મદદ લેતી હોય છે. આવું કોઇ કંપની શૅર માર્કેટમાં લિસ્ટેડ હોવાની સાથે પણ તાત્કાલિક કરતી હોય છે. જોકે, આ લૉક ઇન 1થી 2 મહીના માટે જ હોય છે. આ ઉપરાંત કોઇ કંપની અથવા બેન્કને નાણાકીય સંકટથી નીકાળવા માટે સરકાર પણ લૉક ઇનનો સહારો લઇ શકે છે.
અમેરિકી બજારોમાં ઉછાળ અને ફેડરલ બેન્કનો વ્યાજદરોમાં ઘટાડો પણ સેન્સેક્સમાં તેજી લાવવામાં નિષ્ફળ સાબિત થઇ રહ્યો છે. કોરોના વાયરસનું સંક્રમણ વધવાના ડરની સાથે ભારતીય બજારોમાં જબરદસ્ત ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે, યસ બેન્કના શૅરમાં 50 ટકા સુધીનો ઉછાળ જોવા મળી રહ્યો છે.