મહિસાગરનાં લુણાવાડામાં લગ્ન પ્રસંગમાં અનોખો પશુ પ્રેમ જોવા મળ્યો છે. લગ્ન પ્રસંગમાં પરિવાર દ્વારા મહેમાનોએ કરેલ ચાંદલો પાંજરાપોળમાં આપવાનો નિર્ણય કર્યો છે.
લુણાવાડામાં લગ્નમાં પશુ પ્રેમ જોવા મળ્યો
મહેમાનોએ કરેલ ચાંદલો પાંજરાપોળમાં આપવાનો નિર્ણય
પાંજરાપોળ ટ્રસ્ટના લોકોને ચાંદલો લખવા બેસાડ્યા
અવાર નવાર લોકો લગ્ન પ્રસંગે કે કોઈ તિથિ પ્રસંગે ગૌશાળા તેમજ અન્ય જગ્યાએ દાન કરતા હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો લુણાવાડામાં જોવા મળ્યો હતો. ત્યારે એક પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગમાં આવેલ ચાંદલો પાંજરાપોળમાં આપવાનો નિર્ણય કર્યો હતો. જીવદયા પ્રેમીને લગ્ન પ્રસંગે આવેલા મહેમાનોએ તેઓનાં આ નિર્ણયનાં વખાણ કર્યા હતા.
રામચંદની પરીવાર દ્વારા લગ્નમાં રાખેલ ચાંદલો પાંજરાપોળમાં આપવાનો કર્યો નિર્ણય
મહીસાગરના લુણાવાડામાં લગ્નમાં પશુ પ્રેમ જોવા મળ્યો. લુણાવાડાના રામચંદની પરીવાર દ્વારા લગ્નમાં આવેલ ચાંદલો પાંજરાપોળમાં આપવાનો નિર્ણય કરાયો. લગ્નમાં પાંજરાપોળના કાઉન્ટર મૂકવામાં આવ્યા હતા જ્યાં આવેલા મહેમાનોએ ચાંદલો કર્યો. રામચંદની પરિવાર દ્વારા જીવ દયા કલ્યાણ પાંજરા પોળ ટ્રસ્ટના લોકોને ચાંદલો લખવા બેસાડ્યા હતા. રામચંદ પરિવારની આ દરિયાદીલીને આવેલા તમામ મહેમાનોએ વધાવી.