અખાત્રીજ આ વર્ષે 3 મેએ છે. આ તહેવાર હિન્દૂ ધર્મમાં ખૂબ જ મહત્વ ધરાવે છે. આ દિવસને લક્ષ્મીજીની પૂજા કરવા માટે શુભ માનવામાં આવે છે.
અખાત્રીજે કરો આ ઉપાય
વિધિ-વિધાનથી દેવી લક્ષ્મીની કરો પૂજા
થશે દરેક મુશ્કેલીઓ દૂર
અખાત્રીજનો તહેવાર વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતીયા પર આવે છે. આ તહેવાર હિન્દૂ ધર્મમાં ખૂબ જ મહત્વ ધરાવે છે. આ દિવસે લોકો વિધિ- વિધાનથી દેવી લક્ષ્મીની પૂજા કરે છે. આ દિવસ જુપ, પૂજા અને દાન કરવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે ઘણા લોકો સોનું અને ચાંદીના આભૂષણ ખરીદે છે. આ વર્ષે અખાત્રીજ 3મેના દિવસે છે. આ દિવસે મંગળવાર છે. પૂજાનું મુહૂર્ત સવારે 5:39થી શરૂ થાય છે અને 12:18 પર સમાપ્ત થાય છે. આ દિવસે તમારે કઈ વિધિથી પૂજા કરવી જોઈએ અને કઈ વસ્તુઓ દાન કરવી જોઈએ આવો જાણીએ.
આ દિવસે આ વિધિથી ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીની પૂજા કરો
પોતાના દિવસની શરૂઆત સવારે જલ્દી સ્નાન કરીને કરો. આ દિવસે બની શકે તો કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરો. આમ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.
પૂજા ઘરમાં ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીની એક નવી મૂર્તિ સ્થાપિત કરો.
ચંદન પાઉડર અને ગુલાબ જળથી તિલક કરો. ભગવાન ગણેશ અને લક્ષ્મીની મૂર્તિ પર તિલક કરો.
ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીના મંત્રોના જાપ કરો. તેનાથી ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થશે.
આ દિવસે જો તમે નવો સોના અથવા ચાંદીનો સામાન ખરીદો છો તો તેને ભગવાન ગણેશ અથવા દેવી લક્ષ્મીની સામે મુકો.
દૂધ અને ચોખા જેવી સામગ્રીનો ઉપયોગ કરીને ઘર પર ભોગ તૈયાર કરો. તેને દેવતાઓને અર્પિત કરો.
પરિવારના દરેક સદસ્યોની સાથે ઘર પર જ આરતી કરો. દરેક સદસ્યોને પ્રસાદ વહેંચો.
અખાત્રીજની પૂજા ઘરમાં કરવાથી સ્વાસ્થ્ય, ધન અને સમૃદ્ધિ આવે છે.
અખાત્રીજ પર દાન કરવાની વસ્તુઓ
આ દિવસે અમુક ખાસ વસ્તુઓ દાન કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. જેનાથી જાતકને અલગ અલગ લાભ મળે છે.
આ દિવસે અન્ન અથવા અન્નનું કોઈ પણ રૂપમાં દાન કરવું શુભ માનવામાં આવે છે. તમે જરૂરીયાતમંદોને ઘઉંનો લોટ, ચોખા, ખાંડ, દાળ જેવી વસ્તુઓ દાન કરી શકો છો.
જરૂરીયાતમંદોને અમુક કપડા અને જૂતા દાન કરો. માનવામાં આવે છે કે ચપ્પલ અને નવા કપડા દાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ દિવસે દાન આપવાથી જાતકને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓને દૂર કરવામાં મદદ મળે છે.