પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે આજે વિશ્વ ભારતની તાકાત જોઈ શકે છે. ભારત પર ઘણા લોકોએ સવાલ ઉઠાવ્યા હતા પણ તેઓ હવે નિરુત્તર થઈ ગયા છે.
આજે પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન આપ્યું હતું. આ સંબોધનમાં વડાપ્રધાને દેશવાસીઓને 100 કરોડ વેકસીનેશન ડોઝની સિદ્ધિ બદલ શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે આ દેશવાસીઓનો સહિયારો પ્રયાસ છે.
આખી દુનિયા ભારતની શક્તિને જોઈ શકે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આજે આખી દુનીયા ભારતની શક્તિને જોઈ શકે છે. આ સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો પ્રયાસ એનું ઉત્તમ ઉદાહરણ છે. ભારત અને ભારતના લોકો માટે એ પણ કહેવામાં આવતું હતું કે આટલો સંયમ અને શિસ્ત ક્યાંથી આવશે પણ ભારતમાં લોકતંત્રએ સાબિત કર્યું હતું કે ગરીબ, તવંગર, ગામ શહેર બધાને વેકસીન મળી. વેકસીનેશન અભિયાન પર VIP કલ્ચર હાવી ન થયું અને ગમે તેટલા ધનિક માણસને પણ સામાન્ય નાગરિકની જેમ જ વેક્સિન મળી.
#WATCH | 100-crore vaccination mark is an answer to all the apprehensions...There were questions like will India be able to cope up, will it be able to vaccinate so many people or where will it get the money from to buy vaccines ?: PM Modi on 100-crore vaccination feat pic.twitter.com/WQumeVUiM6
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે ભારત પર દુનિયાએ સવાલ કર્યા હતા કે ભારત કેવી રીતે 100 વર્ષની સૌથી મોટી મહામારી સામે લડશે. શું ભારત વૈશ્વિક સ્તરે મુકાબલો કરી શકશે? વેક્સિન ખરીદવાનાં પૈસા ભારત ક્યાંથી લાવશે? ભારતમાં આટલા બધા લોકોને વેક્સિન મળશે ખરી? અને કેવી રીતે મળશે? કેટલા સમયમાં મળશે? આવા તમામ સવાલ કરનારને જવાબ મળી ગયો છે. એવું પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું.
जब 100 साल की सबसे बड़ी महामारी आई, तो भारत पर सवाल उठने लगे।
क्या भारत इस वैश्विक महामारी से लड़ पाएगा?
भारत दूसरे देशों से इतनी वैक्सीन खरीदने का पैसा कहां से लाएगा?
અગાઉ ભારત બીજા દેશોની બનાવેલી વેક્સિન પર નિર્ભર રહેતું હતું. જ્યારે 100 વર્ષની સૌથી મોટી મહામારી આવી ત્યારે ભારત સામે સવાલ ઊભા થયા હતા કે ભારત આ મહામારી સામે ક્યાંથી લડશે? ભારતના લોકોને વેક્સિન મળશે કે કેમ? શું ભારત આ મહામરીને રોકી શકશે? અને આટલા બધા લોકોને વેક્સિન આપી શકશે? આવા અનેક સવાલ ઊભા થયા હતા પરંતુ ભારતે આજે તેનો જવાબ આપ્યો છે.
નવા ભારતની તસવીર
PM મોદીએ કહ્યું હતું કે 100 કરોડ રસીના ડોઝની અસર એ પણ થશે કે હવે વિશ્વ ભારતને કોરોના સામે સુરક્ષિત માને છે. ભારતને ફાર્મા હબ તરીકે જે સ્વીકૃતિ મળી છે તે વધુ મજબૂત બનશે. સમગ્ર વિશ્વ આજે ભારતની આ શક્તિને જોઈ અને અનુભવી રહ્યું છે. ભારત એક ફાર્માસ્યુટિકલ હબ તરીકે ઊભરી આવ્યું છે. અને ભારતની અર્થવ્યવસ્થાને લઈને દુનિયાભરની એજન્સી સકારાત્મક છે, કંપનીઓમાં રેકૉર્ડ રોકાણ આવી રહ્યું છે. જેના પગલે ભારતના યુવાનોને રોજગારી મળશે. ભારતમાં યુનિકોર્ન કંપનીઓ ખૂલી રહી છે તે પણ એક મોટી વાત છે. હવે દુનિયાની નજર ભારત પર રહે છે. અગાઉ મેડ ઇન ફલાણું થતું હતું હવે મેડ ઇન ઈન્ડિયા પણ બોલાય છે. આ નવા ભારતની તસવીર છે એવું તેમણે કહ્યું હતું.
#WATCH | Our first line of defence against pandemic was public participation, as part of which people lit diyas, banged thalis. Some people had questioned saying "Will it help us get rid of the disease"...?: PM Modi on 100-crore vaccination feat pic.twitter.com/ZKEaWzh8Mr
PM મોદીએ કહ્યું હતું કે અગાઉ થાળી વગાડવા કે દીવા પ્રગટાવવા પર લોકોએ સવાલ ઊભા કર્યા હતા કે આનાથી શું મહામારી દૂર થઈ જશે. પરંતુ આના દ્વારા દેશવાસીઓની એકતાનાં દર્શન થયા હતા અને મહામારી સામે લડવાનો નિર્ધાર વ્યક્ત થયો હતો.