GDP 7.5 ટકાથી 12.5 ટકા રહે તેવી અનુમાન : વર્લ્ડ બેન્ક
કોરોના વાયરસથી અર્થતંત્રને થયું નુકસાન
કોરોના વાયરસના કારણે મહિનાઓ સુધી ભારત લોકડાઉન હેઠળ રહ્યું હતું એક વર્ષથી પણ વધુ સમયથી મહામારીની વચ્ચે ભારતીયો જીવી રહ્યા છે ત્યારે કોરોના વાયરસના કારણે ભારતના અર્થતંત્ર પર જોરદાર ફટકો પડ્યો છે. ભારતનું અર્થતંત્ર ફરીથી ધીમે ધીમે પાટા પર આવી રહ્યું છે ત્યારે વર્લ્ડ બેન્કની રિપોર્ટ સામે આવી છે જેમાં ભારતના અર્થતંત્રણે લઈને વખાણ કરવામાં આવ્યા છે.
અર્થતંત્રમાં આવ્યો ઉછાળો
વર્લ્ડ બેન્ક અનુસાર લોકડાઉન અને કોરોના વાયરસ મહામારીનો માર પડ્યો હોવા છતાં ભારતના અર્થતંત્રમાં નોંધાપત્ર ઉછાળો જોવા મળ્યો છે. વર્લ્ડ બેન્કની એક તાજા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ (FY21-22) દેશમાં વાસ્તવિક GDP 7.5 ટકાથી 12.5 ટકાની આસપાસ રહેશે. વર્લ્ડ બેન્ક અને IMFની બેઠકમાં જાહેર કરવામાં આવેલ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોરોના મહામારીના કારણે અર્થવ્યયસ્થા ધીમી પડી હતી. નાણાકીય વર્ષ 2017માંઆ 8.3 વિકાસ દર હતો જે વર્ષ 2020માં ઘટીને 4 ટકા પર રહી ગયો.
એક વર્ષમાંથી ભારત ક્યાંથી ક્યાં પહોંચી ગયું
વર્લ્ડ બેન્કના મુખ્ય અર્થશાસ્ત્રી હંસ ટિમરે કહ્યું કે આ તો આશ્ચર્યજનક છે કે ભારત એક વર્ષની તુલનામાં કેટલું આગળ વધી ગયું છે. જૉ તમે એક વર્ષ પહેલાનું વિચારો તો ખૂબ પછડાટ હતી. વેક્સિનને લઈને કોઈ જ સ્પષ્ટતા ન હતી. બીમારી વિશે પણ અનિશ્ચિતતા હતી અને હવે તેની તુલનામાં ભારતની અર્થવ્યવસ્થામાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. વેક્સિનેશન શરૂ કરી દેવામાં આવ્યું છે અને વેક્સિનના ઉત્પાદનમાં પણ તે અગ્રણી છે. જોકે અધિકારીએ એમ પણ કહ્યું કે લોકોને વેક્સિનનો ડોઝ આપવો એ પણ એક મોટો પડકાર છે જેને લોકોએ ઓછી આંકી છે.