કોરોના મહામારી વચ્ચે એક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવશે. જેમાં આજે મોદી સરકારના 17 મંત્રીઓ સામેલ થશે અને આગામી પડકારો અને સરકારના એક્શન પ્લાન પર પોતાના મંતવ્યો રજૂ કરશે. આ સેશનમાં આજે કાયદો, આઈટી અને સંચાર પ્રધાન રવિશંકર પ્રસાદ પણ સામેલ થાય. તેમણે ચર્ચા દરમિયાન એક મહત્વપૂર્ણ જાણકારી આપતાં કહ્યું કે, સરકાર ઈન્ડિયન વોટ્સએપ બનાવવા પર કામ કરી રહી છે.
આ સેશન દરમિયાન સંચાર મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું કે, ભારતમાં નેશનલ ઈન્ફોમેટિક્સ સેન્ટર (NIC) અને સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલીમેટિક્સ (CDOT) દ્વારા ઈન્ડિયન વોટ્સએપ બનાવવા પર કામ ચાલી રહ્યું છે. આ જ રીતે એપ ઝૂમ અંગે રવિશંકરે કહ્યું કે, અમે આનો પણ વિકલ્પ ભારતમાં જ શોધી રહ્યાં છે. સાથે જ સરકાર ઈન્ડિયન આઈટી પ્રોડક્ટ્સ બનાવવા માટે લોકોને પ્રોત્સાહિત પણ કરી રહી છે. તેના માટે નાની-મોટી એમ 3000 કંપનીઓની અરજી પણ આવી છે.
આ જ રીતે વર્ક ફ્રોમ હોમને લઈને પણ ચર્ચા થઈ અને કાયદા અને સંચાર પ્રધાન રવિશંકરે કહ્યું- વર્ક ફ્રોમ હોમની સુવિધાને અમે મજબૂત કરી છે અને તેને કાયમી બનાવવા પર કામ ચાલી રહ્યું છે. આ સિવાય સરકારની કોન્ટેક્ટ ટ્રેકિંગ એપ આરોગ્ય સેતુને લઈને પણ ચર્ચા થઈ. અહીં આરોગ્યુ સેતુ એપને લઈને થઈ રહેલાં સવાલોનો જવાબ આપતા રવિશંકરે કહ્યું- આ એપને પ્રાઈવેસીમાં ખતરો ગણાવી રહેલાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના દાવાને નકાર્યો અને કહ્યું આ એપ એકદમ સુરક્ષિત છે.
વધુમાં તેમણે કહ્યું, જો કોઈ ટેક એક્સપર્ટને એવું લાગે છે કે, આ એપમાં સુધાર કરી શકાય છે તો અમને જણાવો. તેમણે કહ્યું કે, આરોગ્ય સેતુ એપનો તમામ ડેટા એન્ક્રિપ્ટેડ છે. અહીંથી સમાન્ય ડેટા 30થી 60 દિવસમાં જાતે જ ડિલીટ થઈ જાય છે. જ્યારે એવો સવાલ પૂછવામાં આવ્યો કે, આરોગ્ય સેતુ એપમાં બ્લૂટૂથ ઓન કરવાનું કેમ કહેવામાં આવે છે તો, તેમણે કહ્યું- ટેક્નોલોજી અને ટ્રેસિંગ માટે એપમાં બ્લૂટૂથનો ઉપયોગ કરવો જરૂરી છે.