દેશના સૌથી અમીર મંદિરોમાં સામેલ તિરુપતિ બાલાજીમાં એક મહિલા તરફથી ગુરૂવારે 9.2 કરોડ રૂપિયાનો ચડાવો ચડાવવામાં આવ્યો છે. ચેન્નઈની રહેવાસી આ 76 વર્ષિય પાર્વતમની બહેને આ દાન કર્યું છે.
તિરુપતિ બાલાજી મંદિરમાં આવ્યું રેકોર્ડ દાન
મહિલાએ 9 કરોડનું દાન કર્યું
એક જ દિવસમાં 84 કરોડનું આવ્યું દાન
દેશના સૌથી અમીર મંદિરોમાં સામેલ તિરુપતિ બાલાજીમાં એક મહિલા તરફથી ગુરૂવારે 9.2 કરોડ રૂપિયાનો ચડાવો ચડાવવામાં આવ્યો છે. ચેન્નઈની રહેવાસી આ 76 વર્ષિય પાર્વતમની બહેને ભગવાન વેંકટેશ્વરના નામ પર 3.2 કરોડ રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ તિરુમલા તિરુપતિ દેવસ્થાન બોર્ડને સોંપ્યો હતો. આ ઉપરાંત 6 કરોડ રૂપિયાની અચલ સંપત્તિ પમ મંદિરના નામે કરી દીધી. તેને હાલના સમયનું સૌથી મોટુ દાન કહેવામાં આવે છે. તેના એક દિવસ પહેલા બુધવારે તિરુપતિ મંદિર બોર્ડના એક જ દિવસમાં લગભગ 84 કરોડ રૂપિયાનું દાન મળવાનો રેકોર્ડ બનાવ્યો હતો.
3.2 કરોડ રૂપિયા સહિત કેટલીય સંપત્તિ દાનમાં આપી
દેવસ્થાનમ બોર્ડના ચેરમેન વાઈવી સુબ્બા રેડ્ડીએ જણાવ્યું હતું કે, દાનકર્તા પાર્વતમની બહેન રેવતી વિશ્વનાથને અનુરોધ કર્યો છે કે, 3.2 કરોડ રૂપિયાની આ રકમ બાળકો માટે બની રહેલી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલના નિર્માણ માટે કરવામા આવે. તિરુપતિ બોર્ડ આ હોસ્પિટલનું નિર્માણ કરાવી રહ્યું છે. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર રેવતીએ બે મકાન પણ મંદિરોને સોંપી દીધા છે. જે તેમની બહેનના નામે છે. રેવતીના જણાવ્યા અનુસાર તેમની બહેન જિંદગીભર કુંવારી રહી હતી. તે ભગવાન વેંકટેશ્વરની અનન્ય ભક્ત હતી. સમય સમયે મંદિરને દાન આપતી રહેતી હતી. તેણે ઈચ્છા વ્યક્ત કરી હતી કે, તેના મોત બાદ તેની સંપત્તિ તિરુપતિ મંદિરને દાન કરી દેવામા આવે. વસિયત અનુસાર તેની સંપત્તિ અમે ભગવાનના હવાલે કરી દીધી છે.
એક જ દિવસમાં 84 કરોડનું દાન
તિરુપતિ દેવસ્થાનમ બોર્ડે 230 કરોડ રૂપિયાના ખર્ચે બાળકોની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવા માટે બધુવાર એક ડોનેશન સ્કીમ શરૂ કરી છે. યોજનાના પ્રથમ દિવસે જ તેમાં 84 કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું. એક રિપોર્ટ અનુસાર તિરુપતિ દેવસ્થાનમ બોર્ડના ચેરમેને જણાવ્યું હતું કે, આ દરમિયાન 70 દાતાઓએ 84 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. આ દરમિયાન 28 કંપનીઓ અને ભક્ત દોઢ- દોઢ કરોડનું દાન આપી ચુક્યા છે. જ્યારે 42 દાતાઓએ એક એક કરોડ રૂપિયા આપ્યા છે. દાનકર્તાઓ માટે કુલ 531 ઉદયસ્થામના સેવા ટિકિટ રાખ્યા છે.
2018માં તૂટ્યો હતો 2000 વર્ષનો રેકોર્ડ
આ પહેલા 26 જૂલાઈ 2018ના રોજ તિરુપતિ બાલાજી મંદિરની હુંડીમાં 6.28 કરોડ રૂપિયા દાન જમા થયું હતું. આ મંદિરના 2000 વર્ષના ઈતિહાસની સૌથી મોટી ઘટના હતી. મંદિર ટ્રસ્ટ અનુસાર મંદિરના ઈતિહાસમાં આ અગાઉ એક જ દિવસમાં સૌથી વધારે રેકોર્ડ 5.73 કરોડ રૂપિયા આવ્યા હતા. જે 2012માં રામનવમી પર નોંધાયો હતો.