ATM માં રોકડ ના હોવાની સમસ્યાથી પરેશાન લોકોને રાહત આપવા માટે ભારતીય સ્ટેટ બેંકે મોટી ભેટ આપી છે. હવે તમે તમારા નજીકમાં સ્થિત પોઇન્ટ ઓફ સેલ્સથી પૈસા નિકાળી શકશો અને એના માટે કોઇ પણ પ્રકારનો ચાર્જ લાગશે નહીં.
દરરોજ નિકાળી શકશો 2 હજાર રૂપિયા સુધી કેશ
SBIની આ સુવિધાનો લાભ દરેક બેંકોના ખાતાધારક ઊઠાવી શકશે. ભારતીય રિઝર્વ બેંકની ગાઇડલાઇન અનુસાર ટિયર1 અને 2 શહેરોમાં રહેનાર લોકો 1 હજાર રૂપિયા અને ટિયર 3 થી ટિયર 6માં રહેનાર લોકો ડેબિટ કાર્ડ ધારક 2 હજાર રૂપિયા નિકાળી શકશે.
બેંકે પોતાના એક નિવેદનમાં કહ્યું કે 'SBI ના કુલ 6.08 લાખ પીઓએસ મશીન છે જેમાંથી 4.78 લાખ પીઓએ મશીનોથી SBIના ગ્રાહકો અને એ બેંકોના ગ્રાહકોને રોકડ નિકાળવાની સુવિધા આપવામાં આવી છે જેને પોતાના ગ્રાહકો માટે આ સુવિધા શરૂ કરી રાખી છે.'
ઉલ્લેખનીય છે કે 11 રાજ્યોમાં કેશની સમસ્યા થવાનું મોટું કારણ સામે આવી ગયું છે. સ્ટેટ બેંકે પોતાની એખ રિપોર્ટમાં દાવો કર્યો છે કે લોકોને નાની નોટોની ડિમાન્ડ વધારે થવનાથી એટીએમ ખાલી થઇ ગયા છે.