પિસ્તા (Pistachios) ખાવાથી શરીરને ઘણા જરૂરી પોષક તત્વો મળી રહે છે. શિયાળામાં પિસ્તા ખાવાથી ઘણી બીમારીઓ પણ દૂર રહે છે.
શિયાળામાં ખાઓ પિસ્તા
ફાયદા જાણીને રહી જશો દંગ
ઘણી બીમારીઓમાંથી મળશે છૂટકારો
શિયાળામાં પિસ્તા (Pistachios) ખાવા ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. જો તમે રોજ તેનું સેવન કરો છો તો ઘણી બીમારીઓથી છૂટકારો મળી શકે છે. પિસ્તામાં સેચુરેટેડ ફેટી એસિડ, પોલીએનસેચુરેટેડ ફેટી એસિડ, લિનોલિક એસિડ, પ્રોટીન, વિટામિન, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને ફાયબરના ગુણ મળી આવે છે. જાણો પિસ્તાનું સેવન કઈ રીતે તમને ફાયદો પહોંચાડે છે.
વજન ઓછુ થાય છે
વજન ઘટાડવા માટે ડાયેટમાં પિસ્તાને શામેલ કરો. તમે તેને નાસ્તામાં ખાઈ શકો છો. તેનાથી જંક ફૂડ ખાવાની ઈચ્છા ઓછી થઈ જશે. પિસ્તામાં પોટેશિયમ, મેગ્નીશિયમ અમે વિટામિન ભરપૂર માત્રામાં હોય છે. તે શરીરમાં કેલ્શિયમની કમીને પણ પુરી કરે છે અને હાડકાને મજબૂત કરે છે.
લોહીની કમીને દૂર કરે છે
પિસ્તામાં વિટામીન બી6 હોય છે જે લોહીના ભ્રમણને વધારે છે. હિમોગ્લોબિનના લેવને પણ ઠીક કરે છે.
આઈ હેલ્થ માટે
આઈ હેલ્થ માટે પણ પિસ્તાનું સેવન ફાયદાકારક છે. તેમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ લ્યુટિન અને જોક્સથિન આંખો માટે સારૂ હોય છે. આ આંખોની રોશનીને વધારવામાં મદદ કરે છે.
ડાયાબિટીસમાં ફાયદાકારક
ડાયાબિટીસના દર્દીઓ માટે પણ પિસ્તાનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. પિસ્તામાં ઘણા એવા પોષક તત્વો હોય છે. જે ડાયાબિટીસને ઓછુ કરવામાં મદદ કરે છે.
હાર્ટ હેલ્થ
પિસ્તામાં હાજર પોષક તત્વ તમને હૃદય રોગથી બચાવે છે. તેને ખાવાથી ડેન્સિટી લિપોપ્રોટીન ઓછું થાય છે જે હૃદય સાથે જોડાયેલી બીમારીઓને દૂર કરે છે.
સ્કિન માટે
પિસ્તામાં રહેલું એન્ટીઓક્સીડેન્ટ સ્કિનને ઓક્સીડેટિવ ઈંજરી અને સન ટેનથી બચાવે છે.